SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન જીરાવ ઘણે જ નિર્દય અને ઘાતકી હતો, તે છતાં તેના ઘરે આવી દેવ સમી કન્યા ઉત્પન્ન થઈ તેને ઘેર જન્મી, તે દરેક સ્ત્રીઓમાં શિરોમણી હતી. પિતાના પ્રયાસથી શક્તાવહ અને ચંદાવતે એકત્ર થઈ ગયા અને પોતાના એવોડ માટે અભિમાન આવ્યું જેથી એક બીજા સાથે કસુંબા લીધા અને વેર-ઝેર ભૂલી ગયા આ વખતે હેકરે ભાષણ આપી એક્યતા ઉપર ભાર મૂકી દરેકને એકત્ર કરી નાખ્યા હતા “આપણું અંદર અંદરના કલેશને ત્યાગ કરી મેવાડના મહારાણાને મદદ આપી તમારા દેશનું કલ્યાણ કરે જ્યારે આપણે દુશ્મનને સામને કરીશું ત્યારે પણ આપણને મેવાડવાસીઓની જરૂર પડશે માટે આપણે કોઈ પણ રીતે મેવાડના રાણાને મદદ આપવી જ જોઈએ.” આવી રીતે ભાષણ આપી હોલકરે પિતાની ફરજ બજાવી હતી, પોતે ચાલતા સુધી મેવાડનું અમંગળ કર્યું નહતું અને સિંધીયાને કહેતો ગયો હતો કે “મેં અંબાજીના આક્રમણથી રાણાના રાજ્યને જરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા કરી છે, માટે આપ કોઈ પણ પ્રકારે એવું ખરાબ વર્તન કરશે નહિં.” આખરે સિંધીઆએ થેડે વખત હેકરની વાતનું પાલન કર્યું પણ છેવટે સોળ લાખ રૂપીઆ વસુલ કરવા માટે મેવાડ પર હલ્લો કરવાના ઇરાદે “ સદાશિવરામને એકદમ એ દેશમાં મોકલી આપે. અને ઇ. સ૧૮૦૬ ના જુન માસમાં ગોલંદાજ પલટણ લઈને કુચ કરી હતી. સિંધીયાને પિતાના બે કાર્યો હતો (૧) સોળ લાખ રૂપીઆ વસુલ કરવા, (૨) જયપુરના સિન્યને ઉદયપુરમાંથી દૂર કરવાનું, પણ રાજકુમારી કણકમારી ને વિવાહ જયપુરના રાજાની સાથે નક્કી થયો હતો. આ વખતે કુશાવહ રાજાનું સન્ય ત્યાંજ હતું જ્યારે એ સન્ય ચાલ્યું ગયું ત્યારે મહારાણા ભિમસિંહની ભાગ્યદશા બદલાઈ ગઈ જ્યારે ભાવી બદલાઈ કે જુદાજ રૂપમાં ફેરવાય છે ત્યારે જ મનુષ્યના જીવનની કટી થાય છે તેવી રીતે હતભાગી રાણું ભિમસિંહની દશા થઈ અને પિતે પિતાના દિવસે મહામુશીબતે નિર્ગમન કરતા હતા. આટલું દુઃખ હયું તેમાં પણ વધારો કરવાના ઈરાદાથી દુષ્ટ વિધાતાએ મહારાણાના હાથમાંથી રાજસત્તા પણ છીનવી લીધી હતી. કેવળ નામનું જ રાસન્માન જોગવતા હતા. પણ તેઓ પોતાની પુત્રી કૃષ્ણકુમારીને જોઈને જ આનંદ માનતા હતા પણ કઠોર ભાવીએ રાજકુમારીને પણ લઈ લીધી હતી. આ બધું અંદર અંદરના કલેશને લઈને આજે રાજસ્થાનની મહા ભયંકર શોચનીય દશા થઈ હતી. કૃષ્ણકુમારીના વિવાહનો ઝઘડો માનસિંહે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy