SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણમોલ જવાહિર યાર્ન આત્મબલિદાન ક્રૂર લેાકેાના અત્યાચાર એકલા શી રીતે રાકી શકે ? જેને માટે અમરચઢે પોતાના સવભાગ આપ્યા હતા તેજ માણસા આજે કૃતજ્ઞતાને તિલાંજલિ આપી ક્ષણે ક્ષણે અમરચંદનું અપમાન કરવા લાગ્યા. આવી વિકટ પરિસ્થિતિમાં કચેા માણુસ સ્થીર રહી શકે ? અમરચંદ તા સ્વભાવથી તેજસ્વી હતા; તેઓ પેાતાનું અપમાન જરા પણ સહન કરી શકતા નહાતા પરંતુ જ્યારથી મંત્રીપદ પર આવ્યા ત્યારથી અનેક મુશીબતાના સામના કરવા પડયા હતા. અને અનેક વખત અપમાનીત થઈતવ્યપરાયણ રહી પાતે રાજની રક્ષા ઉત્તમ પ્રકારે કરી સેવા બજાવી હતી. ફક્ત રાજકુમાર હમીરસિંહનું રક્ષણ કરવાની ખાતર અમરે પેાતાનું લીધેલું કર્તવ્ય ત્યાગ ન કર્યું. ધન્ય છે? એ વીર અમરને ? ૨૪૨ ' એક વખતે મંત્રી અમરચંદ પેાતાના કાર્યાં સ્થાનમાં બેઠા હતા એવામાં દુષ્ટ ‘ રામપ્યારી ’ ત્યાં આવી અને રાયમાતાના નામથી કાઈ કામ માટે અમરને સખત ઠપકા આપવા લાગી. જેથી તેજસ્વી અમરચંદને સખત ક્રોધ ચડયા તેથી આવેલી પાપીણી ‘ રામપ્યારી ’ ને તિરસ્કાર કરી કાઢી મૂકી. એટલે અપમાનિત થયેલો ‘ રામપ્યારી' રડતી રડતી રાજ્યમાતા પાસે ગઈ, અને સાચી-જુદી હકીકત મરી-મસાલા લેળવીને ઉંધા પાટા બંધાવ્યા. જેથી રાજમાતાએ ‘રામપ્યારી'નુ થએલું અપમાન પેાતાનું અપમાન થયું છે એમ ગણ્યું. તેથી રાજમાતાએ તરત જ એક પાલખી મંગાવી સાલુમ્બ્રા સરદાર પાસે જવા નીકળી, આથી અમરચંદ્ર સમજી ગયા કે આજે કંઈ વિચિત્ર ઘટના થવાની છે. એટલે અમરચંદ્ન તરત જ પેાતાના કાર્યાલયમાંથી ઉઠયા અને બહાર ગયા. તેમ મામાં જ રાજમાતાની પાલખી જોઈ કે તરત જ પાલખી ઉપાડનારાએ અને સાથે જનારાઓને પાછા ફરવાની આજ્ઞા કરી. અમરચંદની આજ્ઞા થઈ એટલે કાનામાં તાકાત છે કે અમરચંદનુ વચન ઉથાપી શકે ? જ્યારે પાલખી રણવાસની હૃદ ઉપર આવી ત્યારે મંત્રી અમરચ ંદે રાજમાતાને નમન કરી ગ'ભીરતાથી કહ્યું કેઃ 66 શું આપનું આ કાર્ય સ્વસ્થ મહારાણાને કલકે લગાડનારૂ નથી ? આવુ' હીણુપદ લગાડનારૂ કાય થું આપની શાભામાં વધારો કરે છે ? સ્વામિના મૃત્યુ પછી છ માસ સુધી તે સાધારણ કુંભારની સ્ત્રી પણ ઘરની બહાર નીકળતી નથી. પરતુ આપતા સિસેદીયા કુળના મહારાણી હાવા છતાં આપના પતિના મૃત્યુના શે કાળ વ્યતિત થવા પૂર્વે રણવાસ છેડી બહાર જાએ છે ? આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy