SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ મહામત્રી અમરચંદ ૨૩૩ 6 પ્રસંગે જરાપણ શરમ કે લાગણી રાખી નહિ· · જેમ ખળતાંમાં ઘી હૈામાય ’ તેવી રીતે એક દિવસે રાણાશ્રીનું સિંધીયાએ અપમાન કર્યું, અને રાણાશ્રીના શરીરના સ્પર્શ કરી તેમને દુપટા ખે'ચ્યા. તે વખતે મહારાણાશ્રી પેાતાના મહાલયમાં જતા હતા. જ્યારે દુપટા ખેંચવામાં આવ્યા ત્યારે રાણાશ્રીએ તેના હાથમાંથી ખળ પૂવક દુપટા મજબૂત પકડી રાખ્યા જેથી ફાટી ગયા, તેથી આ ફાટેલા દુપટા સહિત રાણાશ્રી રણવાસમાં ગયા, પેાતાના તિક્ષ્ણ સ્વભાવને લઈને આ અપમાન સહન કરવું પડયું. રાણાશ્રીનું સંકટ ધીમે ધોમે વધવા લાગ્યું ચારે તરફ અંધકાર દેખાવા લાગ્યા તેથી તેમની આશા અને વિશ્વાસ નષ્ટ થયેા સિધીઆએ પર તેમના આશરો હતા તે પણ બદલાઈ ગયા, હવે શું કરવું? ચારે તરફ કાઇ પશુ દિશા જડતી નથી, રઘુદેવ નામના માણસે સલાહ આપી કે:-આપ માંડળગઢ નાસી જાએ. રાણાશ્રીએ આ કાયરતા ભરેલી સલાહ માન્ય ન કરી, આખરે સાલુમ્બ્રા સરદારને કહ્યું ત્યારે તેણે પણ નિરાશા ભરેલા જ જવામ આવ્યે જેથી મહારાણાશ્રીએ અમરચંદને ખેલાવ્યા અને આ સંકટના સમયમાં ઉદ્ધાર કરવાના સમસ્ત ભાર અમરચંદનેજ સોંપવામાં આવ્યા, જેથી અમરચ દે આ કાર્ય હાથમાં લેતા પહેલાં કહ્યું કે “ મારામાં આ કાર્ય કરવાની શક્તિ નથી તેમ મારી ઈચ્છા જ નથી કારણકે આપ જાણેા છે કે પૂર્વે મેવાડ માટે કરેલા કાર્યોમાં કઈ કઈ જાતના સંકટા વેડી મારાથી બનતી સેવા મજાવી મેવાડનું રક્ષણ કર્યું છે, તે બધા સંકટા કરતાં પણ આ મેટુ' સંકટ આજે આવી પડયું છે, માટે આ કા કરવામાં મારી પેાતાની ના નથી પણ મારામાં એક માટી એવા દોષ છે કે જેનાથી આપ પરિચીત્ત છે ? છતાં મારે એ દોષ તમને ક્રીને કહી સંભળાવું. હું કાઈની પશુ આજ્ઞામાં રહેવા ઇચ્છતા નથી, હું જ્યાં રહું છું ત્યાં સ્વતંત્રજ રહું છુ, કાર્યાં મેં હાથમાં લીધું તેમાં હું કેાઈની પણ સલાહ લેતેાજ નથી અને કાઇની બુદ્ધિ ચાલવા દેતા નથી, કાઈપણ ગુપ્ત મંત્રીની સલાહ હું લેતેા નથી, હું મારી શક્તિ અનુસાર મારી પેાતાની બુદ્ધિથીજ કામ કરૂં છું, માટે સાંભળેા ! આપના દ્રવ્ય-ભંડાર ખાલી છે, સેના પણ મદલાઈ ગઈ છે. અન્નની સામગ્રી પણ ખુટી ગઈ છે. જો આવી પરિસ્થિતિમાં આપને મારા વચન પર વિશ્વાસ રાખવાની મરજી હોય તે આપ સેાગન લેા ? કે જે કાર્ય કરવાની હું આજ્ઞા કરું તે કાર્ય ગમે તેવું હાય, સારૂ હાય ચાતા નઠારૂ" હાય, પણ આપ તેની વચ્ચમાં આવશે! નડી. જો આપ આવી પરવાનગી આપેા તાજ મારાથી ખનતું કરી આ કાર્ય સિદ્ધ કરીશ, પણું ધ્યાન રાખજો કે ન્યાય પરાયણ અમર આ વખતે અન્યાય પરાયણ થશે, અને પેાતાના પૂર્વ ચરિત્ર વિરૂદ્ધ કાર્ય કરશે.” આ પ્રમાણે બધી હકીકત મહારાણાશ્રીએ મોન રહી સાભળીને એક પણ શબ્દ એલ્યા વગર તરતજ “ ભગવાન એકલીંગજીના સેાગન ખાઈ ને કહ્યું કે ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy