SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન કારણસર મંત્રી દયાળશાહનું ભારે અપમાન કર્યું. આ વાત રાણાશ્રીના કાન પર આવી ત્યારે પોતાના પુત્રનું આવું વર્તન જોઈ પોતે શંકાશીલ બન્યા. અને અમરસિંહને ઉચિત શિક્ષા આપવા સારૂ પિતે એકાંત વાસ છેડી માર્ગમાં ચિત્તોડપુરીના દર્શન કરી ઉદયપુરમાં આવ્યા પરંતુ બુદ્ધિ વગરના અમરસિંહ પિતાના પિતાની આગમનની વાટ જોઈ નહી અને પિતાના પિતા સાથે વેરનો બદલો વાળવા માતાની શીખામણથી દઢ પ્રતિજ્ઞા કરી અને તરત પિતે પિતાના મામાં બુન્દીના હાડારાણુ પાસે ગયો અને દશહજાર સૈનીકે પિતાની સાથે લો આ વખતે મેવાડના બીજા સરદારોએ પણ અમરસિંહને સહાય કરી હતી. અને આળસુ રાજાને ત્યાગ કરી અમરસિંહના પક્ષમાં ભળ્યા હતા. - આ વખતે રાણું મહા સંકટમાં આવ્યા હતા અને યુદ્ધમાંથી બચવાનો કોઈ રસ્તો નહોતે. આખરે કોઈ પણ રસ્તો ન સૂઝે ત્યારે પિતે અરવલ્લી પહાડને ઓળંગી પોતાના રાજ્યમાંથી મારવાડમાં નાશી ગયા અને ત્યાંના મુખ્ય માંડલીક રાજાને સમજાવવા પુત્રને મોકલ્યો. પરંતુ રાજ્યના અનેક સરદારની સહાયથી અમરસિંહને અભિમાન આવી ગયું હતું. તેથી આવેલા માંડલીક રાજાની એક પણ વાત તેણે સાંભળી નહીં અને ખજાને હસ્તગત કરવા માટે પોતાનું સૈન્ય કેમનેર તરફ કુચ કરી ‘પા સરદારના હાથમાં કમલનેરના શાસનને ભાર હતો. આ સરદાર મહા વિદ્વાન અને ચતુર તેમજ મહા શૂરવીર હતે. તેથી તે સરદારે બહાદુરી પૂર્વક કુમાર અને બધે મને રથ ધૂળ ભેગો કર્યો. અને અમરને હરાવ્યું. ત્યારે અમર પોતાના પિતા સાથે સંધિ કરવા તૈયાર થ. આખરે એકલીંગજીના પવિત્ર મંદિરમાં બંને પિતા-પુત્ર સંધી પત્રો પર સહીઓ કરી. તેમાં એવો ઠરાવ થયો હતો કે રાણજીવે ત્યાં સુધી અમરકુમારે જયસમુદ્રના મહેલમાં રહેવું અને રાણાએ પાટનગરમાં આવવું. મહારાણા જયસિંહે વીસ વર્ષ રાજ્ય કર્યું પિતાની ઉંમરમાં પોતે ઉચ્ચ ગુણે બતાવ્યા હતા. અને યુદ્ધમાં બહાદુરી બતાવી હતી જે તેવાજ ગુણે કાયમ રહ્યા હેત તો આજે પોતે મગના પંઝામાંથી પિતાના દેશની સ્વાધીનતાને ઉદ્ધાર કરી શકત. પરંતુ સ્ત્રીઓના કલેશ અને કુસંપે મેવાડની ખાનાખરાબી કરી નાંખી હતી, રાણા જયસિંહ જેવા ગુણે પહેલાં બતાવી પોતાની કીર્તિ મેળવી હતી. તે કીર્તિ પિતે પાછળથી ભૂસી નાંખી છેક કહીણ થઈ ગયો હતે. જે પોતે જયસમુદ્ર ન બંધાવ્યું હતું તે આજે ઈતિહાસના પાના ઉપર તેનું નામ-નિશાન પણ ન હેત મહારાણા જયસિંહને સ્વર્ગવાસ થયા પછી તેમના માટે કુમાર અમરસિંહ (બીજો) સંવત ૧૭૫૬માં રાજય સિંહાસન પર બેઠા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy