SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - - વીર કેશરી દયાળશાહ હરિગીત જે ન્યાય નિતિ નિપૂણતામાં, ન્યાયવતા નિવડયા, અવળા કરે જેના બધા, સવળા સદા પાસા પડયા, એ ભાગ્યશાળી ભાગીયા, તે ખટપટે સો ખાઈને જન જાણીએ મન માનીએ, નવ કાળ મુકે કેઈને, ૨૪૪ (શ્રીમદ્ રાજચંદ્ર.) માટે હે પાપી ! માતને જરૂર દરેક મનુષ્યને આવવાનું જ છે. શું તું એમ સમજે છે કે ઈશ્વરનો વાસ નથી? દયાળે પૂછયું. એવામાં એક તીર સડસડાટ કરતું આવ્યું તેથી તે પાપી પૂરેહીતે વિચાર્યું કે હવે વિલંબ કરવામાં મઝા નથી. માટે હવે તરતજ આ લેકેને ઠેકાણે પાંડ દેવા જોઈએ. એમ વિચારી કહ્યું કે એ દયાળ હવે તૈયાર થા. પૂરોહીત ? આટલું બધું કામ કરવાનું શું પ્રજન છે? દયાળે પૂછયું. મારા મંત્રીપદની સત્તા તું લઈ બેઠે છે, તે હવે રાણા થાય અમરસિંહ અને હ મંત્રી બનું એજ મારી ઈચ્છા છે. માટે તું તારા ઈષ્ટ દેવને સંભારી લે. એમ કહી તેના માણસોને હુકમ કર્યો કે જયસિંહ અને દયાળને પહાડની ઉંડી ખીણમાં ફેંકી દે ! તરત જ તેને દુષ્ટ માણસેએ કશે પણ વિચાર કર્યા વગર બંને જણાને ઉંડી ખીણમાં ફેંકી દીધા. પણ જેને હજાર હાથવાળો ધણું ઈશ્વર છે તેને વાંકે વાળ કેણ કરી શકે તેમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy