SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તાપથી શ્વાદેને રાજા જે સિહ વગેરેથી વ્યાપ્ત થયેલા પર્વતે પણ. વ્યાકુળ થયા તેમ તેમ ત્રાસમાં વધારો કરવા લાગ્યા. આવા ત્રાસથી મૃગે, બીજા પશુઓ-ગોધાદિક આમતેમ તરફડવા લાગ્યાં. આવી રીતે ઘવાનળનું જોર વધવાથી સુમેરૂપ્રભહસ્તિ (તારો છવ) નું પણ મુખવિવર-પહોળું થયું. તેની છઠા બહાર લબડવા લાગી. તેના બંને કાને તુંબડાના આકાર જેવા સ્તબ્ધ અને પુણ્ય એટલે વ્યાકુળતા વડે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર થયા. તેની સુંઢ. સંકેચ પામી, પુંછડું ઉંચું કર્યું, જાણે આકાશને ફાડી નાખતો હોય તેમ આરાટિના શબ્દો કરવા લાગ્યો. પૃથ્વી ઉપર એટલા જોરથી પગલાં ઠોકવા લાગે, કે જાણે પૃથ્વીને ફાડી નાખવી ન હોય ? ચારે બાજુએથી વેલાને છેદત, હજારે વૃક્ષોને ભાંગ, ભ્રષ્ટ થએલા રાજાની પેઠે, અથવા વાયુથી ડોલતા વહાણની પેઠે, આમતેમ ભમવા લાગ્યો. અને વારંવાર ઝાડા પિશાબ કરતો પોતાના સમુહ સાથે ગમે તે દિશામાં દેડવા લાગે. હે મેઘ ! આ વખતે તે ( પૂર્વ ભવને હાથી ) ઘરડે થે હતું, અને તેથી દેહ જર્જરિત થયા હતા, વ્યાકુળ થયેલ હતું. તે વખતે તને ભૂખ અને તરસ અત્યંત લાગ્યાં હતાં, તેથી પણ દુબળો થયા હતા, ગ્લાની પામેલે, બહેરે અને દિમૂઢ થયો હતો. તેથી તેને કંઈપણ ભાન નહિ રહેવાથી તારા યુથથી તું છુટો પડી ગયો. વનના દાવાનળની જવાળાથી, ભૂખથી, તરસથી અને થાકથી ધણે પરાભય પામ્યો. તેમજ ભય, શોક, ત્રાસ અને આનંદ વિના શુષ્ક થયે. આ દાવાનળથી કેમ બચવું તેને તને માટે વિચાર થઈ પડે, અને ઉગ પાઓ, અને સર્વ દિશામાં હલય દેખવા લાગ્યા. ચારે તરફ દોડવા લાગે. એમ દોડતાં દેતાં ચેડા પાણીવાળું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy