SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અડગ તપ પ્રહણ કર્યો. અને ત્યાર પછી બહાચના વ્રત વાળે, માધના વત વાળા તે અભયકુમાર ના મિત્ર દેવતાનું સ્મરણ કરવા લાગ્યા. તે અલાયકુમારને અઠમ તપ પૂર્ણ થવા આવ્યું ત્યારે પૂર્વભવના મિત્ર દેવતાનું આસન ચલાયમાન થયું. શરીરના અમુક ભાગ ફરક. એટલે પૂર્વ ભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દવે પિતાનું આસન ચલાયમાન થયું જાણી પિતાના અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. એટલે તેને આધ્યાત્મિક સંકલ્પ ઉત્પન્ન થયો. અને પોતાની જાણમાં આવ્યું કે મારે પૂર્વ ભવને મિત્ર જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં દક્ષિણધ ભારતમાં રાજગૃહ નામના નગરમાં અભયકુમાર પિતાની પૌષધશાળામાં અઠમ તપ સાથે પૌષધદ્રત કરી મારું સ્મરણ કરે છે. તે મારે અભયકુમાર પાસે જવું જોઈએ. એવો વિચાર કરી ઇશાન દિશા તરફ ગયો અને વૈક્રિય સમુધાત વડે સમુદ્દઘાત કરે. સમુઘાત કર્યા પછી પ્રથમ સંખ્યાતા એજનને દંડ કર્યો. ત્યારપછી કર્કતનરન, વજરત્ન. વૈદુર્યરત્ન, લેહિતાક્ષરત્ન. મસારગલ્લરત્ન, હંસગર્ભ રત્ન, પુલકરત્ન, સૌગંધિતરત્ન, તિસરરત્ન, અંતરત્ન, અંજનરત્ન અજતરત્ન, જાતરૂપરત્ન, અંજનપુલકરત્ન, સ્ફટિકરત્ન, રિસ્ટરત્ન આ સવે રત્નના અસાર પુદગલનો ત્યાગ કરીને સારભુતસારા સારા પુગલોને ગ્રહણ કર્યા અને નવું ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું. અને અભયકુમાર પર અનુકંપ આવવાથી, પૂર્વભવમાં તેની સાથે સ્નેહ હતો તેથી, પ્રીતિ ઉત્પન્ન થઈ તેથી, તેના ગુણને વિષે અનુરાગ થવાથી, વિયોગને લીધે તે દેવને શાક ઉત્પન્ન થયો. તેથી ર વડે ઉત્તમ એવા વિમાનમાંથી નીકળી પૃથ્વી તળ જવા માટે શીઘ ગતિને ઉપયોગ કર્યો. તે વખતે ડોલતા ઉજવલ સેનાના પ્રતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy