SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું. ] પડતા પર પાટુ. પ3 અને ફરતે ફરતે અનુક્રમે રાજાની મઢી આગળ આવી પહોંછે. ચિંતાતુર રાજા તરફ તેની દષ્ટિ પડી, સિમદષ્ટિએ અને મધુર વચને શેઠે રાજાને પ્રશ્ન કર્યો. ભદ્ર! તું આજે ચિંતાતુર કેમ જણાય છે? શેડના તરફથી પોતાની પરિસ્થિતિને પ્રશ્ન સાંભળી રાજા શરમાઈ ગયો અને પત્નિવિયેગનું પુન: સ્મરણ થવાથી હૃદય ભરાઈ આવ્યું. લજજા અને શેક ઉભયભાવ એકી વખતે રાજાના અંતઃકરણમાં પ્રગટ થયા. શેડના પ્રશ્નનો ઉત્તર રાજા આપી શક્યા નહિ. એટલામાં પાડોશીઓએ આવીને શેડની આગળ રાજાને સઘળો ઈતિહાસ વર્ણવ્યો. જો કે રાજાને આ ઈતિહાસ પુરતો ન હતો કેમકે– પાડોશીઓએ તે માત્ર બાગમાં આવ્યા પછીનીજ રાજાની સ્થિતિ નિહાળી હતી. આ અવસરે શેઠે જે રાજાને પ્રથમ ઈતિહાસ જાર્યો હોત તો તેને દયાળુ અંત:કરણમાં કે આઘાત લાગત અને કેવા અટપટા વિચારનું આંદોલન થાત તથા તે સ્થિતિ જાણ્યા પછી શેઠ તેને કઈ સ્થિતિમાં મુક્ત તે શેડનું દયાળુ અંત:કરણ જાણે. પાડોશી દ્રારા આટલી માત્ર હકીકત જાણવાથી અને માતાને નહિ દેખવાથી દુ:ખી નિસ્તેજ મુખવાળા દયામણું બાળકને દેખવાથી શેઠનું હૃદય દુખી થયું. દયાળુ શેઠે શાંતિનાં વચનોથી રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું કે – હિ ભાગ્યવાન! તું તારા હૃદયમાંથી શોકને દૂર કર, લેશમાત્ર પણ અપૈયતા ન કરીશ. આજથી તારી અને તારા બાળકોની ભોજન સંબંધી યા વસ્ત્ર સબંધી સઘળી ચિંતા જ કરીશ.” શેઠે માત્ર બાહ્યથી મીઠા વચનને ઉચ્ચાર કરી રાજાને આશ્વાસન નહોતું આપ્યું પણ આવું સુંદર કાર્ય કરી સંતોષ પમાડે. આનું નામ જ પવિત્ર હૃદયની ઉદાર ભાવના અને ધાર્મિક ઉડો પ્રેમ. ઉચિત કાર્યકારી શેઠે તેના બદલામાં સુંદર કાર્ય સુંદર રાજાને બતાવ્યું કે – “આ તારા બન્ને પુત્રે બગીચામાં જઈ પુષ્પના છોડ જાવાથી અને જાણે પાડોશીમાં મુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy