SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. લીધી છે, જે વનમાં દાવાનળમાં સપડાએલ હરિની માફક આસંસારમાં પિતાને અશરણું જાણી રહ્યો છે. સંસાર વાસમાં આશ્રવાનાં અનેક રથાનો જે જોઈ રહ્યો છે તે મોતીચંદ, માતાપિતાના આંત્રહથી ઘેર રહ્યો પરંતુ વ્યવહારમાં સઘળાં કાર્યોમાં તેનો અનાદર રહ્યો. લેભાવનારાં અનેક સાધનો છતાં તેનું હૃદય પલટાયું નહીં અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરવા લાગ્યો. તેની વૈરાગ્ય ભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. છેવટે વ્યવહાર કાર્ય માં તેના અવા પ્રકારનો અનાદર દેખી માત્ર એક ધર્મ સાધનમાં જ તેની વૃત્તિ જાણી ધર્માભા માતાપિતાએ પુત્ર પ્રત્યે અત્યંત રાગ છતાં, પણ તેના ધમ સાધનમાં અંતરાયભૂત ન થતાં કેટલીક મુદતે પુત્રની ઇચ્છાને આધીન થયાં. એ અવસરમાં રાજનગરનો સંધ રાધનપુરની યાત્રા કરવા આવ્યો. તેની સાથે કીતિવિજયજી મહારાજા પણ આવ્યા છે એમ મોતીચંદ રાધનપુર આવ્યા. ગુરૂ મહારાજનાં ચરણકમળ ભેટયા. સર્વે મંદિરની યાત્રા કરી, અને ગુરુ મહારાજ પાસે અભ્યાસ કરવા રહ્યા. અનુક્રમે ઉગ્રવિહારી કીર્તિવિજયજી મહારાજાએ ત્યાંથી મળે તરફ વિહાર કર્યો. તેમની સાથે મેતીદે પણ મારવાડ તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા ગુરૂ મહારાજ પ્રથમ તારંગાઇ તરફ ગયા. તાર ગરિની યાત્રા કરી માર્ગમાં અનેક ગ્રામોમાં જિનમંદિરોની યાત્રા કરતા અનેક પ્રાણીઓને ધર્મોપકાર કરતા ગુરુ મહારાજ અબુદગિરિ આવ્યા. જેનોની સંપત્તિ, ઔદાર્ય અને પ્રભુભકિતનું દિ: દર્શન કરાવતાં ત્યાંના ચૈત્યોની યાત્રા કરી ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, ભુસેવાને લાભ લીધો. ત્યાંથી મરભૂમિમાં ઉત્યાં ત્યાં પિંડવાડા, બ્રાહ્મણવાડા, વીરવાડા, સરોહી, નાંદીયા, લેટાણા, દેણા વિગેરે તીર્થોની યાત્રા કરી. બેડા, નાણા થઈ રણકપુરના ચતુર્મુખ ભવ્ય જિનાલયમાં શ્રી યુગાદિદેવને ભેટયા. ત્યાંથી સાદડી, ધારાવ, દેસુરી. નાડલાઈ નાડોલ વિગેરે પંચતીર્થની યાત્રા કરી. ગુરુમહારાજા ધર્મોપદેશ ષ્ટિથી મરભૂમિને નવપલ્લવ કરતા અનેક પ્રાણીઓને યોગ્ય ધર્મનું સ્વરૂપ દર્શાવી તેમને સુમાર્ગ સન્મુખ કરતા પાલી શહેરમાં પધાર્યા અને આપણા ભાવિમુનિ મેતીચંદ પણ તેમની સાથે ગૃહસ્થાવાસમાં પણ મુનિ માર્ગની . ( અભ્યાસ) કરતા પાલી નગરમાં આવ્યા. આટલે સમય વિદ્વાન, શુદ્ધકરૂપક, મહાત્યાગી ગુરુમહારાજની સેવામાં અને તે પણ વિહારમાં સાથે રહેવાથી મેતીચંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy