SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પોતાના આંતિરક ઉદ્ગારા જાહેર કર્યા-હે દેવી ! ચિંતા કરશે નહિ, હૃદયને સ્વસ્થ કરી, આવી રીતે દીનતા કરવાથી તે દુ:ખ દૂર થઈ શકે તેમ નથી. દેવી તમે પાતેજ જાણી શંકા છે કે જીવાને પોતાના અશુભ અનુષ્ઠાનદ્વારા ઉપાર્જન કરેલા દુષ્ટોના કટુક ક્લેને અનુભવ કરવા પડેજ છે, તેમાં કોઇનું કાંઇ પણ ચાલી શકતું નથી. અનેક પ્રયત્નો કરવા છતાં પણુ તથા પ્રકારના કિલષ્ટ અધ્યવસાયપૂર્વક બંધાયેલાં કાં ફળ આપ્યા વિના દૂર થઇ શકતાં નથી, તાણા તાણનારની માક આત્મા વિચિત્ર પ્રકારના કર્મને બંધ કરે છે અને વણકરની માફક દેવ ( કમેદિય ) અંધને અનુસાર ફળ અર્પણ કરે છે. તાણ્ણા તાણનાર જેમ વિચિત્ર વર્ણાદિકના તાણા કરે અને તેને અનુસાર વણકર પટ તૈયાર કરે છે તેવીજ રીતે મિથ્યાત્વાદિક હેતુથી પૂર્વ આત્મા જેવા પ્રકારના કર્મના બંધ કરે છે તેને અનુસાર ઉદયાવસ્થામાં તે કર્મના ફળના અનુભવ કરે છે. જેમ નિવિવેકી, વિનયહીન, આજ્ઞાલુમ્પક છતાં પણ પુત્ર પેાતાના પિતા પાસે બલાત્કારથી દ્રવ્યને વિભાગ માંગે છે તેવીજ રીતે દુષ્કર્મ પણ પેાતાના ઉત્પાદક પિતા આત્મા પાસે પુન્યની માફ્ક આયુષ્યના ભાગની યાચના કરે છે, અર્થાત્ જીદગીના અમુક વિભાગ જેમ પુન્યના પ્રભાવે સુખમાં વ્યતીત થાય છે તેમ પાપના પ્રભાવે અનિચ્છાએ દુ:ખમાં પણ નિમન કરવા પડે છે, માટે દેવી ! તે વિષમ પરિસ્થિતિ કાટી ઉપાયે દૂર તા થવીજ નથી. હાલ નહિ તે છેવટે વૃદ્ધાવસ્થામાં પણ તે ઉપસ્થિત થવીજ છે તા હાલજ તે દુખના અનુભવ હા. યુવાવસ્થામાંજ તે સંકટ સહન કરીશ. હું તે સહન કરવાને સજ્જ થયા છું. દેવી આપેતેા મારા ઉપર સ્નેહને લઈને દુ:ખના વિલમ્બના માર્ગ દર્શાવ્યેા, પરંતુ વિચાર કરતાં હાલજ તેવા સમય વ્યતીત કરવા દુરસ્ત ધારૂં છું, માટે આપને હવે વિલમ્બને માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy