SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું] સુબુદ્ધિમંત્રીનો સંદેશ. ૧૪૯ પાણી ભરવા આવતી સ્ત્રીઓના મુખમાંથી પણ એજ વિચારને અનુસરનારા ઉદ્ગારે નિકળતા હતા. બજારમાં કે ચોરા ઉપર, સામાન્ય ઝુંપડાઓમાં કે શેકીઆઓની હવેલીમાં એજ વિચારેનું સામ્રાજ્ય સ્થપાયું હતું. પરંતુ આ સર્વ વિચારનું કેંદ્રસ્થાન ગવાક્ષમાં રહેલી વ્યક્તિ જ હતી કારણકે આ વિચારિને અંગે શું અમલ કરવા વિગેરે કુલ સત્તા તેનાજ સ્વાધિનમાં હતી. હૃદયમાં વાસ કરીને રહેલી તે ઉપકારી વ્યક્તિના ગુણોનું સ્મરણ થવાથી વારંવાર તેનું અંતઃકરણ રૂદન કરતું હતું. તેના અસહ્ય વિગથી તેની કુશાગ્ર સમાન તિક્ષણ બુદ્ધિ પણ કુંઠિત થઈ જતી હતી. પોતાની પ્રબલ સત્તાને પણ તે તરણા સમાન માનતે હો અને કુલ સત્તાને અંગે પ્રાપ્ત થયેલી વિપુલ દ્ધિનું સુખ પણ તેને અતિ અનિષ્ટ લાગતું હતું. ટુંકાણમાં કહીએ તે કઈ પણ કાર્યમાં તેનું મન ખુંચતું ન હતું, જે કે પિતાને માથે આવી પડેલી ફરજન નિર્વાહ કર્યા વિના તો તેનો છૂટકે જ ન હતો. તે કાર્ય તો અવશ્ય તેને કરવું જ પડે તેમ હતું માત્ર તેમાં તેને રસ તે નડેતોજ આવતા. આ પ્રમાણે અનેક વાર તે વ્યક્તિ ઉપર્યુક્ત વિચારણિમાં ગરકાવ થઈ જતી હતી અને તેને લઈને ઘણી વાર તે પિતાના કાર્યને વીસરી જઈ જડની જેમ સ્થીર થઈ જતા હતા. કેટલીક વખતે તે પિતાની પાસે કેણ ઉભું છે પોતે કયા સ્થાનમાં છે, તેનું પણ ભાન તેને રહેતું નહિ. એક અવસરે ફરી પણ તે પુરૂષ તેજ વિચારોને મગજમાં ભમાડતે પોતાના આવાસમાં બેઠો હતો. ફરી પણ હદયને ચપળ દલા ઉપર આરોહણ કરાવ્યું. ઘડીમાં હૃદય સાથે ચોક્કસ નિર્ણય કર્યો કે બસ હવે તે સર્વત્ર સ્થળે તેમની ભાળ મેળવવા માટે હું મારા માણસોને મેલીજ દઈશ કારણકે અત્યાર સુધી તેમની આજ્ઞાનુસાર રાહ જોઈ બેસી રહ્યો. પરિણામ શુન્ય જેવું જણાયું. વળી ઘડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy