SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ હવે રાજા ઉપર્યુક્ત વિચારશ્રેણિમાંથી નિવૃત્ત થઈ કાંઇક પ્રસન્ન મુખે કીર્તિપાલ સામું જોઇ તેમને પેાતાની હકીકત જણાવવાની આજ્ઞા આપી. પ્રશાંતમુદ્રાથી અંકિત રાજાની આજ્ઞા મળતાંજ તે અધિક ઉત્સાહવાન થયા અને રાજાસમક્ષ પેાતાની હકીકત જણાવવાના પ્રારંભ કર્યો. ૧૨૮ મહારાજા ! અમારૂં વૃત્તાંત કહેતાં પહેલાં અમે આ પને એટલુ જ જણાવીએ છીએ કે આપ ન્યાય છણુવામાં ઘણાજ પ્રવીણ છે, આપનાથી કદીપણ અન્યાય નહિ થઇ શકે એ અમે સારી પેઠે જાણીએ છીએ. આપ અમારી હકીકતમાંથી પણ ચેાગ્યાયેાગ્યની વ્હે ંચણુ કરી ન્યાય અન્યાય મેળવી લેશેા એ અમારી ખાત્રી છે. માકી અમારી દૃષ્ટિએ તે અમે નિર્દોષ છીએ. વળી અમે જે હકીકત આપને દર્શાવીશુ તે ઉપરથી આપ પણ સ્પષ્ટ સમજી શકશે કે આ બન્ને સીપાઇએ તદ્દન નિર્દોષ છે, છતાં પણ આપની ષ્ટિએ જો અમે સદોષ હોઇએ તે અવશ્ય અમેાને અમારા ગુન્હાયાગ્ય સપૂર્ણ શિક્ષા આપશે. અમે તે શિક્ષા સહન કરવા માટે તૈયાર છીએ. આ પ્રમાણે સુંદરરાજાને બહુમાનપૂર્વકના શબ્દોથી પ્રસન્ન કરી કીર્તિપાલે પોતાની હકીકત શરૂ કરી. સ્વામિનાથ ! અમે આ સન્મુખ રહેલા સેનાધિપતિ સ્વામિની આજ્ઞાને શિરસાવદ્ય કરી નિર્દિષ્ટ દિશાએ રાત્રીએ સાર્યવાહના સા માં પહેરા ભરવા ગયા. રાત્રી વિનાદમાં ગૃહીત કરવા માટે આ મારા લધુમાંધવની માગણીથી મે મારૂં પોતાનુ જીવનવૃત્તાંત તેની આગળ નિવેદન કર્યું, એટલામાંજ અમારા વાર્તાલાપના શબ્દો સાંભળીને નજીકના તબુમાં રહેલી કાઇક સ્ત્રી ઝડપથી અમારી પાસે આવીને “ હા ! મારા વ્હાલા પુત્રા ! હીનભાગીણી માતાને લાંબા કાળે પણ તમે સન્યા આ પ્રમાણે સ્પષ્ટ શબ્દે ઉચ્ચારતી અમારે કઠે વળગી પડી અને ગાઢ રૂદન કરવા લાગી. અસ, સાર્થવાહ વિગેરે સમુદાયથી અજ્ઞાત રહેલી અમ રી ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy