SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. સં. ૧૮૯૭ માં પાલીતાણામાં ચોમાસુ કર્યું.૧૮૯૮ જાણવામાં નથી. ૯૯ પીરાનપુર, ૧૯૦૦ લીંબડી. ૧૯૦૧ વાંકાનેર, ૧૯૦૨ લીંબડી, ૧૯૦૩ વિસલપુર, ૧૯૦૪ પીરાનપુર, ૧૯૦૫ જાણવામાં નથી. ૧૯૦૬ રાજનગર. ૧૯૦૭ જાણવામાં નથી. ૧૯૦૮ રાધનપુર, ૧૯૦૯ થી ૧૯૧૫ સુધી રાજનગર. ૧૯૧૬ પાલીતાણામાં શ્રીદયાવિમળને ભગવતિના યોગોરવહન કરાવી ભાવનગરમાં ગણિપદ આપી ત્યાં ચોમાસુ કર્યું. ૧૯૧૭ રાધનપુર. ૧૯૧૮ જાણવામાં નથી. ૧૯૧૮ પાલીતાણા. ૧૯૨ ૦ પીરાનપુર. ૧૯૨૧ વસં. ૧૯૨૨ થી ૩૫ સુધીનાં છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગરમાં કર્યા. ૧૯ર૩ ના જેઠ સુદ ૧૩ પન્યાસ શ્રી સાભાગ્યવિજયજીએ પંન્યાસ પદ આપ્યું. અન્ય અન્ય સ્થળોમાં સર્વ મળી ૫૯ માસાં થયાં તેમાં ૧ મેડતા, ૧ ખંભાત, ૧ બનારસ, ૧ કીસનગઢ, ૧ પુષ્કરણા, ૧ જામનગર, ૧ વાંકાનેર, ૧ વિલનગર, ૧ ભાવનગર, ૧ વસે, ૨ લીંબડી, કે પાલીતાણા, કે પીરનપુર ૪ ભૂજ, ૪ સ્થળે જાણવામાં નથી ૫ રાધનપુર, ૨૮ રાજનગર. અઠ્ઠાવન વર્ષની અવસ્થા થઈ ત્યાં સુધીમાં ગુજરાત, કાઠિયાવાડ, રાજપુતાના અને પૂર્વ દેશમાં સમેત શીખર પર્વત વિચયા પછી કારણસર સાત માસ લાગલા ગટ અમદાવાદમાં થયાં. ત્યાર પછી વૃદ્ધાવસ્થા છતાં પણ કાઠિયાવાડ, પછી ઉત્તર ગુજરાત, વળી કાઠિયાવાડ, ત્યાંથી ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિચરી, શારીરિકબળ અતિ ક્ષીણ થવાથી લગભગ સત્તર વર્ષની અવસ્થા પછીના ૧૪ ચામામાં રાજનગરમાં કર્યા, તપસ્યા –બીમની તપશ્ચર્યા તો કોઈ અવર્ણનીય હતા. સતત વિહાર છતાં પણ નિયમિત તપસ્યા તો તેઓની ચાલુજ રહેતી હતી એકદરે ૧ બત્રીસ ઉપવાસ, ૧ માસક્ષમણ, ૩ સોલ ઉપવાસ, ૧ બાર ઉપવાસ, ૧ દશ ઉપવાસ, ૫ અઠ્ઠાઈ, ચાર ઉપવાસ તે સિવાય અનેક અઠમ, છઠ અને તિથિ વિગેરેના ટા ઉપવાસ જેની ગણત્રી કરવામાં આવી નથી. તથા અબીલ વર્ધમાન તપની એકત્રીસ એળીઓ કરી હતી ઉપવાસ શિવાયના દિવસોમાં આંબીલ એકાસણું તો ચાલુ જ રહ્યાં. એકાસણું કરવા છતાં એકવાર એટલે ભજનના અવસરેજ પાણી પીવું એ બહુ વિચારણીય છે શારીરિક અને માનસિક કાબુના અભાવે કેટલાકે જે કે રાત્રીભોજન કરતા નથી પરંતુ શયનપર્યત પાણી પીવે છે. એકાસણામાં પણ નિયમિત આહારને અભાવે કેટલાકને સાંઝ સુધીમાં અનેકવાર પાણી પીવાની જરૂર પડે છે, પરંતુ એકાસણું કરનારને ઉનોદરી કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy