SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ * ** * * * ૭ મું] દૈવને માર્મિક પ્રહરિ. તંત્રતામાં રાખે છે. આથી તે ઇઢિયે તેઓના આત્માને કદી પણ ઉન્માર્ગમાં પ્રયાણ કરાવતી નથી, અન્યથા મહરાજાના સૈન્યની અગ્રનાયિકા ઇંદ્રિય એવી મજબુત છે કે ઉપર જણાવ્યા પ્રમાણે મોટા મહંતોને પણ ક્ષણવારમાં જ્ઞાન ધ્યાનથી ચુકાવે છે. આ ઉપરથી ઇંદ્રિય ઉમાર્ગ પ્રવૃત્તિમાંજ સહાયક છે માટે તેને ઉચ્છેદ કરે એજ ઉચિત છે એમ સમજવું નહીં. જોકે એટલું તે ચકકસ છે કે તે ઈદ્રિયોને જે અવ્યવસ્થિત રાખવામાં આવે તો તે ઉન્માર્ગપષક બનેજ, પરંતુ જો તેને સુવ્યવસ્થિત સ્થીતિમાં રાખવામાં આવે તે ઉન્માર્ગશેષક અને સન્માર્ગ પોષક બને છે. જેમકે મદારીઓ મહાહિંસક સિંહ, વાઘ, રીંછ, સર્પ વિગેરે શિકારી પ્રાણીઓને પણ કળાથી વશ કરી તેની સહાયથી પિતાની આજીવિકા પણ ચલાવે છે, તેવી જ રીતે અંતરાત્મા ઉમત્ત ઇંદ્રિયોને પિતાને સ્વાધીન કરી તે દ્વારા ઉત્તમ ચારિત્રગાત્રનું જીવન ચલાવે છે. આખરે જેમ તે મદારી જે તે પ્રા[ીઓ પોતાનું જીવન ચલાવવામાં અસમર્થ નીવડે તે તેએને જંગલમાં જઈ છોડી મુકે છે, તેમ વિશુદ્ધ ચારિત્રસંપન્ન મહર્ષિઓ પણ તે ઇદ્રિ જે પિતાના ચારિત્ર જીવનમાં સહાયક ન થાય તે ભક્ત પ્રત્યાખ્યાન વિગેરેથી અનશન કરી તેઓને ત્યાગ કરે છે. ઉપર્યુક્ત વૃત્તાંતથી આપણે સમજી શક્યા છે તે વિવેકી ધીર પુરૂષે ઇદ્રિના પંજામાં સપડાઈ પ્રાણાતે પણ ઉન્મા ગમાં પ્રવૃત્તિ કરતા જ નથી. તેવા વિષમ પ્રસંગે તેઓનું એજ ધ્યેય હોય છે કે– वरं विन्ध्याटव्यामनशन तृषार्तस्य मरणं, ___ वरंसर्पाकीर्णे तृणपिहितकूपेनिपतनं । वरंगवित गहनजलमध्ये विलयनं, न शीलाविभ्रंशो भवतु कुलजस्य श्रृतवतः ॥ વિંધ્યાચળ પર્વતની ગહન અટવમાં અટવાઈ સુધા અને તૃષાની અસહ્ય વેદનાઓ સહન કરી રીબાઈ રીબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy