SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મું] દૈવને માર્મિક પ્રહાર, તેની આજ્ઞાનો અનાદર કરી પરમેશ્વરી મુદ્રાથી અંકિત થાય છે. મેહમુગ્ધ અન્ય મનુષ્ય તે દૂર રહે, પરંતુ શુષ્ક પત્ર, પુષ્પ, અને નિરસ ફળ, વિગેરે માત્રનું ભજન કરનાર, અને પંચાગ્નિ વિગેરે કષ્ટ સહન કરી પોતાની દેહને અતિશય કશ બનાવનાર, અરણ્યવાસી ધ્યાનસ્થ યેગીઓ પણ કંદપના વિષમ પ્રહારથી ઘવાઈ મેહપરવશ બને છે, અને પરિણામે પિતાના આચારથી પતીત થઈ ઘેર યાતના સહન કરવા નરકમાં પ્રયાણ કરે છે. કામવિકારના અસાધ્ય વ્યાધિથી નિરંતર દૂર રહેવાની પૂર્ણ અભિલાષાએ સિનગ્ધમધુરાદિ પરસયુક્ત ભોજન, સુકોમલ શય્યા, વિષત્પાદક સુગંધી પદાર્થો, રંગબેરંગી ચિત્રવિચિત્ર ચિત્રશાળાઓ, મોહક વિષયવિલાસી શબ્દશ્રવણ, અને તે સિવાય મહોત્પાદક કોઈપણ સામગ્રીથી વિમુખ રહેનાર ત્યાગીઓ, અને તત્વવેત્તાઓ, જ્યારે અપમાત્ર વિકારનું સાધન પામીને યા પામ્યા વિના બાહુલ્યતાથી પિતાની સુરક્ષિત જીવનનકાને જર્જરીત કરી, સંસારમહોદધિના અગાધ જલમાં ડુબાવે છે, ત્યારે અલ્પ સત્ત્વવાનું સામાન્ય પ્રાણીઓને માટે તો શું કહેવું? કહ્યું પણ છે કેसन्मार्गे तावदास्ते प्रभवति पुरुष-मतावदेवेन्द्रियाणां, तावल्लज्जा विधत्ते विनयमपि, समालम्बते तावदेव ॥ भ्रचापाकृष्टमुक्ता श्रवणपथजुषो, निलपक्ष्माण एते, यावल्लोलावतीनां न हृदि धृतिमु गो, दृष्टिबाणाः पतन्ति। જ્યાં સુધી કણે પર્યત દીર્ઘમાર્ગને ભજનારા, ભ્રમરરૂપ ધનુષ્યથી ખેંચીને ફેંકેલા, ધર્યવિનાશક નીલપાંપણેથી શોભિત લીલાવતીના તિક્ષણ દષ્ટિબાણે પુરૂષોના હૃદય પર પડતાં નથી ત્યાં સુધી જ તેઓ પોતાના આત્માને સન્માર્ગમાં સ્થીરતા પમાડે છે, ઉન્માર્ગમાં પ્રયાણ કરતી ઈન્દ્રિયોને પિતાની સત્તાવી રિવર રાખી શકે છે, લાગુ " ત્યાંસુધીજ ટકી શકે છે અને ત્યાં સુધી જ તે પુરૂ વિનયનું અવલંબન કરી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy