SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટફેટ. [ પ્રકરણ લાગી. “એટલે એ જ કે બા એક ગરીબમાં ગરીબ માણસની માફક આજ કેટલા દિવસ થયાં બાજરાને રેટલ અને મીઠાની કાંકરી પર પિતાના દેહને ટકાવી રહ્યાં છે.” માણેકશાહ શેઠને જાણે પગ નીચેથી ધરતી સરી જતી હોય એવું લાગ્યું. એમનું મસ્તક ચકકર ચક્કર ઘૂમવા લાગ્યું. માતાએ આ અિચ્છિક ગરીબી વહારી લેવાનું કારણ એ બરાબર સમજી શકયા નહિ. “બા ઘીદૂધ નથી ખાતાં, એ વાત તમે પણ આજ દિવસ લગી મારાથી શા માટે છૂપાવી રાખી?” “બાની અનુજ્ઞા વિના એમની કઈ પણ વાત આપની પાસે ખુલ્લી કરવાનું મને શો અધિકાર હેઈ હશે ?” આ તે ગજબ કહેવાય?” માણેકશાહ શેઠ પિકારી ઉઠયા. ગજબ પર તે વળી કંઈ શીંગડાં થતાં હોય છે? જુઓ, હમણાં માત્ર તમારા ભેજનમાં અને સાધુસાધ્વી વહેરાવવા પૂરતું જ ઘી અને ઘીની વાનીઓ આપણે ઘરમાં વપરાય છે.” ચાલાક વહુએ એ જ બીજો ધડાકે કર્યો. “ શું ત્યારે તે પણ ઘીદૂધને ત્યાગ કર્યો ? ભલા માણસ! તમે બધાંએ આ શું કરવા માંડયું છે! ત્યારે શું મારી એકની જ આંખો બંધ થઈ ગઈ છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy