SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિર પ્રવેશ અને શા ફેલાવી છે. એવી મેહની “ભુવનમંગલ” એવા એ ભગવાનના સંદેશામાં છે (નોરમનામામય્). ભાગવતધર્મમાં ગતિ, વેગ, ક્રિયાશક્તિ, નિર્ભયતા ને પરાક્રમ કેટલાં છે તે ગીતા અને ભાગવતે બતાવી આપ્યું છે. એને ફેલાવો કરવાની આતુરતા એક કાળે ભગવદ્ભકતામાં હતી. નારદની પેઠે પૃથ્વી પર ફરતાં તેઓ ન થાક્તા. અમે જગતના નિવાસી છીએ, ને ત્રિભુવન અમારો સ્વદેશ છે (સ્વરો વનરા), એમ કહેવા જેટલી હદય અને આત્માની વિશાળતા એમનામાં હતી. ભાગવતમાં કહ્યું છે: “હે રાજા ! કલિયુગમાં બીજી જગાએ નારાયણના ભક્તો થોડા થોડા થશે, પણ દ્રવિડ દેશમાં તો ઘણા થશે. એ દેશમાં તામ્રપર્ણી નદી છે, કૃતમાલા છે, મહાપુણ્યવતી કાવેરી છે, મહાનદી પ્રતીચી છે. એ સરિતાઓનાં પાણી જે માણસો પીશે તે માટે ભાગે નિર્મળ મનવાળાને વાસુદેવના ભક્તો થશે.૪૦ આ સર્વ નદીઓને તીરે આવેલાં પ્રાચીન પ્રસિદ્ધ ને વિશાળ દેવમંદિરે ત્યાંને મહામના પુરુષોએ સ્વેચ્છાએ હરિજનો માટે ખુલ્લાં મૂક્યાં છે. જે આપણે નાનાં ભાઈબહેને છતાં આજ લગી તિરસ્કૃત અને દેવદર્શનથી વંચિત હતાં તેમને હેત અને ઉમળકાથી આવકાર આપ્યો છે અને ભાગવતની આર્ષવાણી સાચી પાડી છે. ટિપણે ૧. સર્વેષામામનો હાત્મા પિતા માતા સ ફ્રેશ્વર. મા. ૨૦;૪૭;૨. ૨. ત્વમેવ માતાથ સુત પત્તિ પિતા | મા. ૨; ૨૨; ૭. ૩. માત્મયાત્સર્વભૂતાના સર્વભૂતકિયો રિ I મા. ૬; ૨૭; ૨૨. ૪. વિસનવિરાય; જિનવર મા. ૨; ૮; ૨૬–૭. ५. अप्येवमार्य भगवान्परिपाति दीनान् वाश्रेव वत्सकमनुग्रहकातरोऽस्मान् । भा. ४, ९, १७. ૬. આવતીકસિ વિશ્વાત્મ માપનુયે . મા. ૨૦; ૨૭; ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy