SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્પૃશ્યતા મહામહોપાધ્યાય કાણે લખે છે : જે જાતિ રૂઢિથી અસ્પૃશ્ય મનાતી હોય તે જાતિમાં જન્મેલો માણસ ગમે તે ધંધારોજગાર કરે કે કશે જ ધંધો ન કરે તેાયે અસ્પૃશ્ય રહે છે, એવું પ્રાચીન અને મધ્યયુગીન શાસ્ત્રકારો માનતા નહતા. વળી કોણ કોણ અસ્પૃશ્ય, ને કેટલે અંશે અસ્પૃશ્ય, એ વિષે પણ ઘણે મતભેદ હતો. . . . અળગાપણાની ભાવનાએ ને કર્મઠ શુદ્ધિના વધારે પડતા ખ્યાલે જેર કર્યું, એટલે એ વસ્તુઓમાં ઘણે જ અતિરેક થઈ ગ.૨૬ વળી કહે છે: પ્રાચીન સ્મૃતિકાર સ્વેચ્છ, અશુચિ અને અધાર્મિક એ ત્રણ વર્ગોને સમાન ગણ તેમની સાથે સંભાષણને નિષેધ કરે છે (ગો. ૯; ૧૭, વિષ્ણુ. ૬૪; ૧૫). સાહેબ લોક પણ આ સ્મૃતિ પ્રમાણે પ્લેચ્છ જ ગણાય ના? પણ એમની સાથે બોલવા માટે તે આપણે હંસાતૂસી કરવામાં કમી રાખતા નથી. પૌડૂક, દ્રાવિડ, યવન, શક અને મનુએ ક્ષત્રિય તરીકે -- ગણાવ્યા છે, અને પાછળથી ક્રિયાલાપ થવાથી તેઓ શુદ્ધત્વને પામ્યા એમ જણાવ્યું છે (મનુ. ૧૦; ૪૩-૪).૨૬ ઐતરેય બ્રાહ્મણમાં આ સહુને વિશ્વામિત્રની સંતતિમાંથી થયેલા વર્ણવ્યા છે. . . . આ પ્રમાણે તુલનાત્મક દષ્ટિએ જોઈએ તેપણું અત્યજ એ કંઈ શ્લેચ્છ, શક, પુડૂ ઇત્યાદિ કરતાં હીન ઠરતા નથી. એ લોકો ગવાશન એટલે ગોભક્ષક, અને મૂર્તિભંજક છે. પણ આપણે અન્ય તો તેવા નથી, અને વળી તેઓ દેવોદિની મૂર્તિની પૂજા પણ કરે છે. તાસાંઢાલ વગાડનારા મુસલમાનો અસ્પૃશ્ય ગણતા નથી એટલે મંદિરમાં જાય, પણ અંત્યજે બિચારા મંદિરમાં પ્રવેશ ન કરી શકે! આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે.... ચંડાલ તથા પુક્કસ સિવાયના બાકીના બધા તે આજે સ્પૃશ્ય થયા છે. ત્યારે ચંડાલેએ શી ગુનેગારી કરી આ શ્લેષ્ઠ વગેરે જબરદસ્તી કરીને સ્પૃશ્ય થયા છે, એ ઉત્તર દેવામાં આવે છે; પણ એ ઉત્તર શોભે છે ખરો? ચંડાલોએ પણ સ્પૃશ્ય થવાને જબરદસ્તી કરવી ત્યારે ?”૨૭ આચાર્ય આનંદશંકર ધ્રુવે લખ્યું છે. 'आपणा पूर्वजोए अनार्यने पण आर्य करी लीधा, अने आपणे आर्यने पण અસ્પૃરય હો વદાર વઢિીશું? ક્ષણવાર માનો કે હાલની અસ્પૃશ્ય જાતિ એ પ્રાચીન ચાંડાલો અને પાની જ સંતતિ છે, તથાપિ પૂર્વની સ્થિતિથી સ્તરી વા બ્રાહ્મણોને તમે પૂર્વવત્ બ્રાહ્મણ માને છે, તે પૂર્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy