SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યકતાને ફાળે ટિપણે २. तस्मात् चाण्डालत्वेनाभिमतानामस्पृश्यत्वसिद्धये. स्मृतिवचनाना प्रमाणतयोपन्यासमात्रेण नेष्टार्थसिद्धिः । इदानींतनाश्चाण्डालत्वेनामिमता जातिविशेषाः पुरातनचाण्डालसदृशा एव सन्ति अस्पृश्यत्वबीजं च तेषु पूर्ववदेवेति यावन्न साध्यते, तावन्न तेषामस्पृश्यत्वसिद्धिः । • • • यथा वयमिदानींतना द्राविडा मनुवचनप्रामाण्यादपि वृषला न भवामः पुरातन-. द्राविडेभ्यो भिन्नत्वात, तथैवेदानींतनाश्चाण्डाला अपि मनुप्रोका अन्त्यजा अत एव अस्पृश्या न भवन्तीति सिद्धम् । –આ. બા. ધ્રુવ: “આપણે ધર્મ', પૃ. ૪૬૭, ૪૭૦. મારે એટલું ઉમેરવાની જરૂર ભાગ્યે જ હોય કે મનુસ્મૃતિમાં આપેલું વર્ણન જેમને લાગુ પડે એવા ચાંડાલો અત્યારે કરવા દેશમાં ક્યાંય નથી.” - પરમેશ્વર આયર: ત્રાવણકોર મંદિરપ્રવેશ સમિતિને રિપેર્ટ (૧૯૩૪), ૫. ૩૧૬. ' ૨. જેમને અસ્પૃશ્ય અને હલકા ગણવામાં આવે છે તેમનું પણ ગ્રામજીવનમાં કેવું સ્થાન હતું તે નીચેના ઉતારોમાં બતાવ્યું છે: “મહારાષ્ટ્રમાંથી આપણને ગ્રામપંચાયતેના જે ચુકાદા નોંધાયેલા મળી આવે છે તેમાં લગભગ બધા ગ્રામસેવકોની સહીઓ છે; અને તેમાં અસ્પૃશ્ય ગણાતા મહાર અને માંગ પણ સામેલ છે. અઢારમા સૈકાની અધવચમાં, મંદિર ભ્રષ્ટ થયાના એક પ્રસંગ વિષે વિચાર કરવા મળેલી ગામડાની સભામાં પરાયાથી માંડી બ્રાહ્મણ સુધીની સર્વ જાતિના માણસોએ ભાગ લીધેલ છે, એવી નોંધ આનંદરગ પિળેની રોજનીશીમાં છે. ગ્રામપંચાયતની એક સભા, જેમાં શ્રાલણ ને શુદ્રો બંનેએ ભાગ લીધેલો, તેનું વર્ણન ડે. મેયાએ આપ્યું છે. .. • બ્રાહ્મણના અંદરઅંદરના ઝઘડાને નિકાલ કરવા કે તેમના ગૃહસંસારને લગતી બાબતોમાં સત્તાવાર સલાહ આપવા મળેલી આખી ગ્રામપ્રજાની સભાઓનાં વર્ણન પૂનાના પેશવાઓ ને સતારાના રાજાઓની રોજનીશીમાં છે. . . . બ્રાહ્મણ પિતરાઈઓ વચ્ચેની વારસાહકની એક તકરાર ફેંસલા માટે આખા ગામડા આગળ રજૂ કરવામાં આવી હતી. ફેંસલો આપનાર સસામાં મરાઠા, ધનગર, ગુરવ, સુતાર, લુહાર, કુંભાર, કોળી, વાળંદ, ચાંભાર, મહાર અને માંગ પણું સામેલ હતા. . . યુક્ત પ્રાંતના કેટલાક ભાગમાં વાળંદ ઘણુવાર વરકન્યાની સગાઈ કરી આપે છે કે લગ્ન વખતે હાજર હોય છે. કાશીમાં સ્મશાનઘાટ પર ડામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy