SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સહક * અરિવેશ અને રા - - “તારા આસન ઉપરથી તેમને તે જ્યાં હડસેલી મૂક્યા ત્યાં તારી શક્તિને પણ તે અવહેલાપૂર્વક દેશવટો દીધે. ચરણે રોળાઈને તે જ્યાં ધૂળમાં વહ્યાં જાય છે તે નીચાણમાં તું ઊતરી આવ, નહીં તે તારે ઉગારો નથી. આજે તારે બધાના જેવું જ અપમાન સહન કરવું પડશે. “જેમને તું નીચે રાખે છે, તે તેને નીચે બાંધી રાખશે. જેમને તે પાછળ રાખ્યા છે, તે તેને પાછળ ખેંચી રહ્યા છે. અજ્ઞાનના અંધારની આડશ પાછળ તે જેમને ઢાંકી રાખ્યા છે, તેઓ તારા, મંગલ આડે આડશ રચી તારા મંગલને ઢાંકી રહ્યા છે. તારે તેમના જેવાં જ અપમાન સહન કરવો પડશે. “સેંકડો સિકાંઓ થયાં તારે માથે અપમાનનો બેજે લદાત આવે છે, તોપણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિના ભગવાન ધૂળમાં જઈને ઊભા છે. ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે. “તું જ નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધું છે. જે તું બધાને નહીં બતાવે, હજુયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારે કોર અભિમાનને કોટ રચી પિતાની જાતને બાંધી રાખીશ, તે તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.૩૩ પાછળ આપેલી ભક્તની કથાઓમાં કંઈને કંઈ ચમત્કારનું તત્વ જોવામાં આવે છે, તે મૂળમાં જેવું છે તેવું રહેવા દીધું છે. કેમ કે એવા ચમત્કારે ખરેખાત થાય છે, અથવા તે એવા ચમત્કાર કરવાનું સામર્થ ભક્તિ વડે મળે છે, એમ શીખવવાને એ કથાઓનો આશય નથી. પણ ભક્તિમાર્ગમાં – ભાગવતધર્મમાં – ઊંચનીચભાવને સ્થાન નથી, ને એ પંથે ચાલવાને અધિકાર સર્વ વર્ણન છે, એમ બતાવવાનો જ તેમને આશય છે. જેના જીવનમાં ચમત્કાર થાય તે જ ભક્ત એવી બેટી વ્યાખ્યા કરવામાં આવે, તે ઘણા સાચા ભક્તોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy