SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧ અસ્પૃશ્ય ગણાતી જાતિઓ માટે ભક્તકવિ નરસિ ંહ મહેતાના એક પદમાંથી ઉપાડી લીધેલા ‘ હરિજન’શબ્દ વાપરવાનું ગાંધીજીને સૂચવવામાં આવ્યું અને એ શબ્દને તેમણે વધાવી લીધા. તેના સમર્થનમાં એક મહારાષ્ટ્રી ભાઈ એ મરાઠી કવિ મેરાપ`તની નીચેની કડી ગાંધીજીને મેાકલી આપી : • * ज्ञानें काय हरिजना म्हणतात महार यवन कुणबी जी 1 उमटे तोचि तरुफळीं, असतो जो काय गुप्त गुण बीजीं ॥ ( તારા જ્ઞાનની ખુમારીમાં તું હુંરિજનેને મહાર, યવન, કણબી, એમ કહે છે! પરંતુ ખીજમાં જે કાંઈ ગુણ છુપાયેલા રહેલા હોય છે તે ળમાં પ્રગટ થાય જ છે.) 66 - આ કડી ‘હિરજન’ના તા. ૪-૩-૧૯૩૩ના અંકમાં છાપતાં ગાંધીજીએ લખ્યું છે કે આ જાતના પુરાવા · અસ્પૃશ્ય ગણાતી જાતિઓને હરિજન ગણવાને — દેશભરનાં સંતેનાં વચનેામાંથી મળી આવે એમ છે. કાઈ ઉદ્યમી વિદ્વાન દેશના જુદા જુદા ભાગમાં થઈ ગયેલા સતાનાં આ જાતનાં વચના એકઠાં કરીને મને મેકલી આપશે તા હું ખુશીથી તે ‘હિરજન ’ પત્રમાં છાપીશ. અસ્પૃશ્યતાનિવારણનું કામ કરનારાં ભાઈબહેનેાને આવાં વચને પ્રેરણારૂપ અને મદદરૂપ થઈ પડે.” આપણા સમાજમાં અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની દૃષ્ટિએ જુદા જુદા પ્રાંતની કૅૉંગ્રેસ સરકારેા તરફથી કાયદા થઈ રહ્યા છે. અસ્પૃશ્યતાનિવારણની બાબતમાં લેાકમત પણ ઠીક ઠીક જાગૃત થઈ રહ્યો છે. છતાં હજી જડ રૂઢિઓને ધર્માં માની બેઠેલા લેાકેા ધર્માંતે નામે અસ્પૃશ્યતાને વળગી રહેલા જોવામાં આવે છે. તેમાં કેટલાક તા ભણેલા ગણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy