SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ - સહજાનંદ સ્વામી એમના સાધુઓમાં સર્વ વર્ગોને સ્થાન હતું. તેમાં પ્રસિદ્ધ કવિ પ્રેમાનંદ સ્વામીને પણ સમાવેશ હતો. એ સાધુ મૂળ હિંદુ હતા કે મુસલમાન એ પણ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. એમના અનુયાયીઓમાં હિંદુ અને મુસલમાન બંને હતા. એમના મુસલમાન શિષ્યો પણ કંઠી, તિલક, માળા અને ચોટલી રાખતા, અને મન્દિરમાં જઈ શકતા.૩૮ ૦ “ભગવાન સર્વાના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે, એ પણ ભગવાનની કારને વિશ્વાસ' હૈયામાં જોઈએ, અને “પંચમહાપાપે યુક્ત હેય ને તેને જે ભગવાનને વિશ્વાસ હોય તે તેનો કોઈ કાળે છૂટકે થાય, એ સહજાનંદ સ્વામીને ઉપદેશ હતો. તેમણે કહ્યું: “અમારો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન, ને બીજા ભગવાનના ભક્ત, ને ત્રીજા બ્રાહ્મણ, ને એ કાઈક ગરીબ મનુષ્ય એ ચારથી તે અમે અતિશય બીએ છીએ જે રખે એમને દ્રોહ થઈ જાય નહીં. અને એવા તે બીજા કોઈથી અમે બીતા નથી.”૪૦ વળી કહ્યું : “એ સંત તે સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિશય મોટા છે. અને જે આ કાઢીને પિતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે હમે થયો છું, પણ એ માટે નથી. અથવા સિદ્ધાઈ દેખાડીને લેકોને ડરાર્થે છે. એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી; એ તે માયાના જીવ છે.” • ગરીબો વિષે તેમને કેટલી બધી લાગણી હતી તે આ વચને બતાવે છે. તેમણે “પાપી જીને પિતાના શરણમાં લઈ તેમનો મોક્ષ કર્યો છે. જે જે પરસ્ત્રીને કુછ દે ચડ્યા હતા, મધમાંસના ભક્ષણ કરનારા હતા, ચોરી લૂંટફાટ કરી અન્ય મનુષ્યનાં ખૂન કરવાની સહજ વૃત્તિવાળા હતા, અને વળી જે લેકે લેભી લંપટ કપટી હતા, તે તમામ પાપના પર્વત જેવા પુરુષોનાં જીવનમાં તેમણે પિલટો કરાવ્યો હતો. એક બ્રાહ્મણે તેમના પગમાંથી કાંટે કાઢેલ. તેને જોઈને મહારાજ બોલ્યાઃ “તેં મારો કાંટે કાઢ્યો તે તારું મં–૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy