SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વહેલભાચાય ૧૪૧: . હોય તે। ન ભણવા દે, પણ એ શબ્દમાં રહેલા મનું જ્ઞાન એમને આપતાં અમને કાઈ રેાકી શકવાનું નથી. અને ભગવછરણના તથા સમણુના જે મન્ત્ર છે તે શીખવાના અધિકાર તા કશા ભેદભાવ વિના સહુને છે.' તેથી એક ભક્તિગ્રન્થમાં કહ્યું છેઃ મન્ત્રરત્નના જપ સાથે ભગવાનને ચરણે સાદર આત્મસમર્પણ કરવું એનું નામ ત્યાગ છે. જેની વૃત્તિ આચાર્યશ્રીને અધીન છે તેણે તેા જીવન પર્યંત, મરણ આવે ત્યાં સુધી, આ એ મન્ત્રનું રટણ કરવું જોઈએ.’૨૧ આના ઉપર વલ્લભસંપ્રદાયના એક વિદ્વાન લખે છે : આપણા સંપ્રદાયમાં જે એ મન્ત્રા છે તેમાં એક તા ભગવરણને મન્ત્ર ( શ્રીકૃષ્ણ: શરણં મમ ), અને બીજો મન્ત્ર તે આત્મસમર્પણના મન્ત્ર.૨૨ તેથી સામાન્ય ને પણ ભગવન્મંત્રને ઉપદેશ કરી શકાય. તે જ પ્રમાણે કે ગુરુ પાસેથી ભાગવત, ગીતા, મહાભારત, તથા આપણા આચાર્યશ્રીના ગ્રન્થા સાંભળીને, ભક્તિને દૃઢ કરવા માટે બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું; તથા ભગવાનની સેવા વગેરે પણ કરવું. તે આ ગ્રન્થા સાંભળવાને અધિકાર છે, એમ શંકરાચાયે પણ વિષ્ણુસહસ્રનામ ઉપરના ભાષ્યમાં બતાવ્યું છે. ત્યાં તેમણે કહ્યું છેઃ શૂદ્ર આ જ્ઞાન સુખેથી મેળવે. વળી ભાગવતમાં કહ્યું છે કે દેવ, અસુર, માણસ, યક્ષ, ગન્ધ જે કાઈ મુકુન્દના ચરણનું સેવન કરો. તેનું કલ્યાણ થશે જેમ અમારું કલ્યાણ થયું છે. સપ્તમ સ્કંધના સાતમા અધ્યાયનાં આ વચને વડે બતાવ્યું છે કે ભગવાનનું ભજન કરવાને અધિકાર સહુને છે. બીજી એક જગાએ સ્પષ્ટ શબ્દોમાં કશું' છે કે ચારે વર્ણોને માટે ગુરુ કૃષ્ણનું પૂજન એ શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યાં કહ્યું છે કે સદ્ર ને અસછૂદ્ર બન્નેને ભગવદ્ભજનના સરખા અધિકાર છે. તેથી આ મન્ત્રોના ઉપદેશ સદ્ર તેમ જ અસ‰દ્રઅનૈને કરવા’.૨૩ ' કેટલીક રૂઢિએનું સમર્થન કરવા સારુ કેટલીક વાર સ્મૃતિનાં વચા ટાંકવામાં આવે છે. પણ વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગીમાં તેમ કરવું બરાબર નથી. તેમાં તે। આચાર્યશ્રીનાં વચનેાનું જ મુખ્ય પ્રામાણ્ય ગણાય. સ્મૃતિગ્રન્થામાં અધિકારભેદની ચર્ચા છે, તેને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy