SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આ તે 9 ૧ હવે આહારના પદાર્થો જુએ. વાયુપુરાણે બકરી, હરણી, તે ઊંટડીનાં દૂધની સાથે ભેંસના દૂધની પણ મનાઈ કરી છે. બીજા એક ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રને કપિલા ગાયનું દૂધ ન પીવાનું ફરમાવ્યું છે. ખીજા એકે એ જ દૂધથી ચાંડાલ પણ શુદ્ધ થાય, એમ કહ્યું છે; તે યમ પણ પિલાના ઘીને મહાપાપને! નાશ કરનાર કહે છે. કાંદા લસણુની મનાઈ. તેા છે જ. માપ, મેથી, મસૂર, અડદ, જવ વગેરે અનાજ ખાવાં નહી તે કાઈ ને આપવાં નહી, એમ બ્રહ્મપુરાણ કહે છે. વિષ્ણુ કહે છે કાંસાના વાસણમાં કદી જમવું નહીં. વળી આંગળીથી દાંત ઘસવા, કે સમુદ્રનું મીઠું ખાવું, અને માટી ખાવી, તે ગેામાંસભક્ષણ સમાન છે. પરાશર કહે છે : જે માણસ માથે કપડું વીંટીને, દક્ષિણ તરફ માં કરીને, કે ડાબા પગ પર હાથ મૂકીને જમે તેનું અન્ન રાક્ષસ ખાય છે. બ્રાહ્મણને કૂતરું, વરુ કે શિયાળ કરડે તેા સમુદ્રદન, મહાનદીસ’ગમ, ગાયત્રીજપ વગેરે પ્રાયશ્ચિત્ત કહ્યાં છે. એ જાનવરે જો બ્રાહ્મણીને કરડે, તે તે તારા જોઈ ને શુદ્ધ થાય છે. ( જેને કૂતરું કરડે, તેની દવા કરાવવાની હાય કે પ્રાયશ્ચિત્ત કરાવવાનું ?) ઉંદર, બિલાડી, સાપ, અજગર તે ડુડુભને માર્યો હોય તેા બ્રાહ્મણાને દૂધપાક જમાડવા, તથા લેાઢાને સળિયા ને દક્ષિણા આપવાં. ચાર, શ્વપાક તે ચંડાલના જીવ બ્રાહ્મણે લીધા હોય, તે રાતદિવસ ઉપવાસ, સ્નાન તે પંચગવ્યપ્રાશનથી તેની શુદ્ધિ થાય છે. (આજને કાયદો આ વાત કબૂલ કરશે ? ) જે જે પાપ થાય છે તે બધાં માથાના વાળમાં રહે છે, માટે પુરુષને મુંડન કરાવવું, ને સ્ત્રીના વાળને છેડેથી બબ્બે આંગળ જેટલા કાપી નાખવા. એક પંગતમાં જમવા બેઠેલા બ્રાહ્મણમાંથી એક જો અધવચ ઊઠી જાય, તે! ખીજા બધાએ પણ ભાજન અધૂરું મૂકીને ઊઠી જવું. કાંદા, ગાજર, રીંગણાં, ઝાડને ગુંદર વગેરે ખાધાં હોય તે ત્રણ દિવસની લાંઘણ કરવી, ને પંચગવ્ય પી શુદ્ધ થવું. છીંક, બગાસું, કે ખાંસી આવે, જૂ હૈ' ખેલાઈ જાય કે પતિત જોડે સંભાષણ થાય, તેા જમણા કાનને સ્પર્શી કરવે. જે બ્રાહ્મણ 'દક્ષિણા લઈ તે શૂદ્રના હવને અગ્નિમાં હેામ કરે તે બ્રાહ્મણ શૂદ્ર થઈ જાય; પણ પેલા શુદ્ધ બ્રાહ્મણુ થાય! જે દ્વિર્જા વૈશ્વદેવ કર્યાં વિના જમતા હોય તેમનું અન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy