SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણના શરણ. (૮૧) વજ જેવું ચમરેદ્રની સમીપમાં આવી પહોંચ્યું અને જેવું તેના ઉપર ઘા કરવા જાય છે તેવામાં તે ચમરપતિ કુંથુંઆનું શરીર ધારણ કરી પેલા મહાપુરૂષના બે ચરણની વચમાં ભરાઈ ગયે. વજી એ મહાપુરૂષના ચરણથી ચાર તસુ છેટું રહ્યું એટલામાં સર્પને વાદી પકડે તેમ છે તે વજાને મુષ્ટિથી પકડી લીધું. એ મહાપુરૂષને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સ્તુતિ કરી. “હે સ્વામી! આ ઉદ્ધત ચમરેંદ્ર આપના પ્રભાવથી મારો પરાભવ કરવા દેવલેક સુધી આવ્યું હતું, તે મારા જાણવામાં નહોતું, જેથી મેં એની પાછળ વા છોડયું એ મારે અપરાધ હે મહાપુરૂષ ક્ષમજે.” એમ કહી ઈશાન દિશાએ જઈ પિતાને રષ ઉતારવાને વામચરણ ત્રણ વાર ભૂમિ ઉપર પછાડ્યો. તે પછી ચમર પાસે આવી શકેંદ્ર બોલ્યા: “હું ચમર ! તું આ ભગવંતના શરણે આવ્યું તે બહુ સારું કર્યું, અને તેથી વેર તજીને મેં તને છોડી દીધો છે. હવે તું ખુશીથી પાછે તારી ચમચંચા નગરીમાં જઈ તારી સમૃદ્ધિને ભેગવ.” ચમરને આશ્વાસન આપી, એ મહાપુરૂષને નમન-વંદન કરી ઈંદ્ર પોતાને સ્થાનકે ગયા. સૂર્યાસ્ત થતાં જેમ ઘુવડ પિતાની ગુફામાંથી બહાર નીકળે તેમ ચમરેંદ્ર તે મહાપુરૂષના બે ચરણમાંથી બહાર નીકળે, અને એ નષ્ટને નમી એમની સ્તુતિ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy