SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકારને માટે. (૩૯) શાંત અને મનહર કાંતિવાળા ત્યાગી પુરૂષને જોઈ તે સર્ષ અનેક પ્રકારના વિચાર કરવા લાગે. વિચાર કરતાં કરતાં એને ભાસ થયો કે આ વેશત્યાગ મેં કયાંક જોયે છે. પણ ક્યાં ? તે યાદ આવતું નથી. તે વારંવાર યાદ કરવા લાગ્યું. વિચાર કરતાં એને પૂર્વભવને સૂચવનારૂં જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાન થતાંની સાથે જ એણે પિતાના પૂર્વના ભવે જોયા. “અહા! હું કેણ? પૂર્વજન્મમાં હું તપસ્વી સાધુ હતા, છતાં ક્રોધ કરવાથી એ તપ, એ સાધુત્વ હું હારી ગયે. અને તે પછી ચંડકાશિક તાપસ થયે, તે ભાવમાં પણ મેં ક્રોધને પિળે તો એ જ ક્રોધમાં મૃત્યુ પામી આજે ઉગ્ર ક્રોધવાળો દષ્ટિવિષ સર્ષ થયે છું, અને એ ભયંકર ક્રોધને પિષી રહ્યો છું. અહા! ધિક્કાર છે મને ! હું એ મહાફલને આપનારૂં મહાવ્રત હારી ગયો! ક્રોધને વશ થઈ નીચે ઉતરતે ગયે, તેમ છતાં ખચીત હજી મારા ભાગ્ય જાગૃત છે કે આ મહાપુરૂષનું મને દર્શન થયું.એમણે મારી ઉપર ઉપકાર કર્યો. આહ ! શી એમની સજનતા ? મારી આટઆટલી કદર્થના સહન કરી એમણે મને નરકમાં જતાં બચાવ્યો. ખચીત આ ભવમાં મેં ઘણું જવાહંસા કરી છે, અનેક લેગ લીધા છે અને હજુ કેટલાય ભેગ હું લેત. એ બધાય પાપના ફળ હું નરકગતિમાં જઈ ભયંકપણે લાંબાકાળ પર્યત ભગવત. અરે ! આ મહાપુરૂષ મારી રક્ષા કરી. એમનાં તે હું શું વખાણ કરૂં? એમને હું શું શું સત્કાર કરૂં?”એ ત્યાગી, શાંતમૂર્તિને ત્રણ પ્રદક્ષિણ દેઈ સર્પ એમના ચરણમાં પડ્યો. જાણે પોતાના અપરાધોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy