SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૫ મું. કેણિક રાજ. શ્રેણિક નરપતિને કારાગ્રહમાં વાસ કરાવીને કેણિક મગધપતિ થયે. શ્રેણિકના કારાગ્રહ ઉપર કેણિકે સખ્ત જાપતો રખાવા માંડયો. કોઈને મળવાને પણ તે જવા દેતા નહિ. ખાનપાન પણ બરાબર આપતે નહિ. તે સિવાય સવારસાંજે તે પ્રતિદિવસ સ સે ચાબુકના ફટકા શ્રેણિકને મારતે હતે. એ રીતે મગધપતિ કેણિક પૂર્વભવનું વેર વસુલ કરતા હતા. દેવને આધીન થયેલ શ્રેણિક આ બધું મુંગે મોંએ સહન કરી રહ્યો હતો. અંત:પુરની રાણીઓ વગેરેએ શ્રેણિકને મુક્ત કરવા માટે અનેક પ્રકારે તેફાન કર્યા. કેણિકને સમજાવવાને પ્રયત્ન કરવામાં આવ્યું, પણ કેણિકે પૂર્વના વૈરની ધુનમાં કેઈનું કહેવું સાંભળ્યું નહિ. પ્રજા પણ વિફરી તે ગઈ પણ કણિકને પ્રજા સાથે કાંઈ વેરભાવ નહોતે, તેથી શામ, દામ, દંડ અને ભેદથી પ્રજાને તે સમજાવી શાંત કરી દીધી. પ્રજાનું મનરંજન કરવા માટે એવું તે સરસ એણે રાજ્ય કરવા માંડયું કે જેથી ચેડા દિવસમાં શ્રેણિક અને કેણિકમાં કંઈપણ ભેદ જેવા ન લાગી. અભયકુમારના જવા પછી શ્રેણિકનાં બંધન છેડવાને કેઈપણ સમર્થ થયું નહિ. રાણીએ કે પ્રજા, અથવા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy