SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) મહાવીર અને શ્રેણિક સ્વાભાવિક આજે મને આપ કેવક કુષ્ટિ છો એ જોવાની આતુરતા થવાથી હું અભ્યાસમાં મંદ ઉત્સાહવાળી થઈ, અને પરિણામે ભ્રમ બધા ખુલી ગયે; પણ હવે તે તમે જે કલા મને શીખવી છે તે બધી તમારા ઉપયોગમાં આવે અર્થાત તમે જ મારા પતિ થાઓ.” વાસવદત્તાએ અનુરાગપૂર્વક કહ્યું, “ભદ્રે ! હાલમાં તે અહીયાં રહેવાથી જ આપણે યોગ થાઓ, પણ જ્યારે સમય આવશે ત્યારે હું તને હરી લઈશ.” અરસ્પરસ પ્રીતિવાળાં તેઓનાં મન તે દિવસથી એકમેક થઈ ગયાં અને અન્ય આલાપ-સંલાપ કરતાં તેમના મનની સાથે શરીર સંબંધ પણ થઈ ગયો. એવી રીતે તેઓ સુખપૂર્વક પિતાને કાલ નિર્મગન કરતાં હતાં, પણ તેમનું દાંપત્ય કેઈના જાણવામાં આવ્યું નહિ. માત્ર કાંચનમાળા નામે વાસવદત્તાની એક ધાત્રી જ તેમનું ચારિત્ર જાણતી હતી તેથી તેઓ પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યાં ને સંગીતકળાને અપૂર્વ સ્વાદ લેવા લાગ્યાં. તે એક દિવસ અનિલગિરિ હાથી બંધન સ્થાનના સ્થાને તેડી મહાવતોને પાડી નાખી છુટ થઈ ગયો ને નગરમાં ભમતાં નગરજનેને ઉપદ્રવ કરવા લા થે. મહાવતે રાજા પાસે ફર્યાદ કરવા આવ્યા કે “દેવ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy