SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૪) મહાવીર અને શ્રેણિક. લાગવાથી તે ભાતુ ખાવાની તૈયારી કરવા લાગ્યો. એટલામાં તેને અપશુકન થયા. અપશુકનથી વહેમાયેલ તે ભાત ખાધા વગર આગળ ચાલ્યો. તે ખાવાને વિચાર કર્યો, તો પાછા ફરીને અપશુકન થયા. વારંવાર અપશુકન થવાથી મૃત્યુના ભયથી ડરતે તે ઉજજયિનીમાં આવ્યું. તે સર્વ વૃત્તાંત પ્રતરાજાને કહી સંભળાવ્યું. પ્રતે અક્ષયકુમારને બોલાવી પિલા ભાતાની પિટલીની પરીક્ષા કરાવી. બુદ્ધિમાન અભયકુમારે પિટલી સુંધીને તરત જ કહ્યું કે-“આમાં તથા પ્રકારના વિષથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયે છે કે જેથી આ પિટલી છેડી હોય તે લેહજંઘ દગ્ધ થઈ જાત માટે હવે આ પોટલીને અરણ્યમાં જઇને મૂકી દ્યો. ” એ દષ્ટિવિષ સની અભયકુમારના કથનથી તે પિટલી યુક્તિ પૂર્વક અરણ્યમાં છોડી દીધી. ત્યાં દષ્ટિથી વૃક્ષો દગ્ધ થઈ ગયાં. અભયકુમારની બુદ્ધિથી પ્રસન્ન થએલા પ્રદ્યોતે અભયકુમારને કહ્યું. “ હું તારી ઉપર પ્રસન્ન થયે છે, માટે છુટા થવાની માગણી સિવાય બીજું કાંઈ વરદાન માગ.” હાલમાં એ વરદાન અનામત રાખો, વખત આવે માગીશ. ” અભયકુમારે કહ્યું. તથાસ્તુ.રાજાએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy