SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ચેઘણા દેવીના ગુસ્સા. હું ૨૮૩) ચાલ્યું જશે ? બધા ભલ ભલા વગર ચાલે છે તેા તું મરી જતાં મારાં શાં રાજ ચંડાઇ જવાનાં છે ? મરવું હાય તા તારે ખુશીથી મર. નિરાંતે મર ! બેધડક મરી જો. ” * kk મહાવતના જવાબ સાંભળી વેશ્યા ખસીયાણી પડી ગઇ. મહાવત તે। અને જવામ સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પેલી સ્ત્રી વિચારમાં પડી, “ શું ત્યારે મરી જાઉં. અરે હું મરી જઉં તા એના બાપનુ શુ જાય ? ગમે તેવા તાય એ પરાયે પુરૂષ, મારી પાછળ એ આંસુય ન પાડે, અરે પરણેલા શ્રેણી પણ સ્ત્રી મરી ગઈ તા એમ સમજે છે કે વ્રુત્તિ જીની હતી તે ગઇ ને નવી આવશે. પરણેલા પણ એક શ્રી ગઈ કે આજી લાવીને ખડી કરે છે તે આ તે ભાડુતી પુરૂષ. એની પ્રીત તેા વાદળની છાયા જેમ ક્યાં લગી રહેવાની, માટે હું મરીશ તે। એને કાંઈ ખેાટ જવાની નથી. હું તેા કાંઇ મરતી નથી, પણ હવે એ હારની ઇચ્છાને જેમ બને તેમ રાકવાના પ્રયત્ન કરીશ. ” પેલી સ્ત્રી પાતાની ધારણામાં નિષ્ફળ જવા છતાં પણ એણે મરવાના વિચાર મુલ્તવી રાખ્યા. મહા વતે સમજાવેલી ન સમજી પણ છેવટે પોતાની મેળે સમજીને ત્યાંથી ચાલી ગઈ. મહાવત અને તેની માશુકની એ પ્રમાણેની વાતચીત સાંભળીને ચેલ્લણાના મનમાં પશુ પરિવ`ન થવા માંડ્યું. મરી જવુ' કે કેમ ? મરવામાં લાભ છે કે જીવવામાં. આ મહાવત જેવાએ પણ પાતાની પ્રિયતમાનું ભાગ્ય વચન એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy