SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૮) મહાવીર અને . નજીવું કામ પણ તે ન કરી શક્યા. એવા સંસારના કૃત્રિમ સંબંધથી સર્યું. હવે તે હું મરી જ જાઉં. પણ શી રીતે મરી જવું? ગળે ફાંસો ખાઈ મરું કે આપઘાત કરું? અથવા તો કુવે પડું કે ઝપાપાત કરૂં. અથવા તે નીચે પત્થરની શિલા ઉપર પડતું મેલું કે ઝેર ખાઉ કે શું કરું ? ” વિચાર કરતી ચેલણ અંતઃપુરની નજીક હાથીશાળામાં આવી. હાથીશાળામાં આવી એણે ગળે ફાંસો ખાઇ પ્રાણેને કાઢી નાખવાની તૈયારી કરી. એટલામાં કંઈક ગરબડાટ એના કાન ઉપર આવ્યું. એકતો સ્ત્રી જાત, તેની વૃત્તિઓની ચંચળતા, કંઈક નવીન જોવામાં ઉત્સુકતા એમની તીવ્ર હોય છે. “શી ગરબડ છે?” એ જાણવાની એની ઉત્કંઠા વધવાથી તે આસ્તેથી તપાસ કરવા લાગી તે તેને ખબર પડી કે હાથીઓને ઉપરી મહાવત પોતાની માશુક સાથે વાર્તાલાપ કરી રહ્યો હતે. તેમની અન્યઅન્યની વાતચીત સાંભળવાની ચેલણાની ઉત્કંઠા વધવાથી ગુપ્તપણે ઉભા રહી મનમાં વિચાર કરવા લાગી. “હમણું તે આ લોકેની વાત સાંભળવી દે, પછી અવસરને રેગ્ય જણાશે તે કરવામાં આવશે.” અહીંયા મહાવત અને પેલી સ્ત્રી પ્રેમકલહ કરી રહ્યા હતાં. પેલી સ્ત્રી હઠથી એની પાસે કંઇક વસ્તુ માગી રહી હતી. મહાવત એને એને આગ્રહ છોડાવવા સમજાવી રહ્યો હતો, પણ સ્ત્રીહઠ હમેશાં ભૂરી હોય છે. એ પિતાની હઠ સહેલાઈથી છોડી શકતી નથી. “હાલા! શા માટે મારું કહેવું તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy