SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મહાવીર અને એણિતમોટા ભાગ્યેગે જ આપ જેવાને સમાગમ થઈ શકે? કહે, પછી એ રાજકુમારનું શું થયું?” “મગજરાજ ! આટઆટલી સાહેબી વૈભવ છતાં ઘણું દિવસેને દુઃખને અંતે એ રાજકુમાર સમજે. “ હા ! જગતમાં હું અનાથ છું, હું એકલો છું. મારું કઈ નથી, હું કોઈને નથી, ખીત પ્રાણીઓએ પૂર્વે જેવાં જેવાં કર્મ કરેલાં હોય છે એવાં અવશ્ય જોગવવાં પડે છે. ભેગવવા સમયે કઈ રક્ષણ કરવાને સમર્થ નથી. મેં પૂર્વે કંઈક દુષ્કૃત કરેલું હશે તે આ ભવમાં મારે ભેગવવું પડયું. આટલા બધા ઉપચારે કરવા છતાં, અનેક પ્રકારની સારવાર છતાં લાંબા દિવસની મારી વ્યથા દૂર થઈ શકતી નથી એનું કારણ શું? અરે ! જન્મ, જરા અને મરણના ભયંકર પ્રસંગે થકી મને કે બચાવનાર છે? માટે ખચીત હું અનાથ છું. બલ્ક સર્વ જગતના માયાવાસી પ્રાણુઓ પણ અનાથ જ છે તે પછી કેણ કોને નાથ થઈ શકે? અસ્તુ. મૃત્યુથી કેણ બચાવી શકે તેમ છે?” પિતાની અનાથ અવસ્થાનું જ્ઞાન થતાં એ રાજકુમાર વિચારમાં પડ્યો. જ્યારે જગતમાં તે કોઈ પ્રાણ નાથ થઈ શકે તેમ નથી તે પછી હું નાથ કોને બનાવું? બસ, આ સ્થિતિમાં તે મને કોઈનું શરણ નથી. સંસારની સર્વે વસ્તુઓ દુઃખકર છે. શરણ કરવાથી તે એક ધર્મ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy