SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ દશને ફોટા (૧૧૩) ગયા, અને પિતાના આશ્રમ તરફ પરિવાર સહિત બેદયુક્ત ચિત્તવાળા ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજા રાણી સાથે વિચાર કરતો બેઠે હતું, એ દરમિયાન થોડી જ વારમાં એક બૌદ્ધ સાધુ રાજાની આગળ આવીને ફરિયાદ કરવા લાગ્યા. મહારાજ ! આજે આપને ત્યાં ભેજન કરીને અમે અમારા આશ્રમમાં ગયા તે પછી એક–એ સાધુઓને ઉલટી થઈ. એમાં એમનું જમેલું બધું નીકળી ગયું એ તો ઠીક, પણ એ ભેજનમાંથી ચામડાના સૂક્ષ્મ ટુકડા નીકળ્યા એ કંઈ સમજાતું નથી.” “એ તમારી ભ્રમણ હશે. અમારા ભેજનમાં ચામડાના કકડા, એ તો અસંભવિત વાત ! બરાબર તપાસ કરીને જુઓ. કદાચ તમે ભૂલતા હશે.” રાજાએ કહ્યું. નહિ મહારાજ ! સત્ય વાત છે. જુઓ આ રહ્યા તે.” સાધુએ સાબીતી માટે તે કકડા બતાવ્યા. એ સૂમ કકડા જોઈ રાજા વિચારમાં પડ્યો. આ સંબંધી કંઈ સમજણ પડતી નથી કે ચામડાના કકડા કેવી રીતે નીકળ્યા? એ ગમે તેમ હોય, બાકી અમારા ભેજનમાં એ કંઈ પણ દેષ ધારશે નહિ.” એમ કહી બોદ્ધ સાધુને રાજાએ વિદાય કર્યો. બૌદ્ધ સાધુના ગયા પછી રાજાએ ચેલણ તરફ નજર કરી. “રાણી ! આ બધું કેમ બન્યું હશે? એમાં તને કંઈ સમજ પડે છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy