SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં નવયુગ ભારતવર્ષની જાગૃતિ જેવાને કદિ પણ ભાગ્યશાળી થઈ શકત નહિ અને ભારતની વિભિન્ન જાતિએ એકતા અને બંધુતાના સૂત્રથી બંધાઈ શકત નહિ; તેમજ સમસ્ત ભારતવાસીઓ એકજ વિચાર, એકજ પ્રયત્ન અને એકજ લક્ષપૂર્વક જે એક મહામાર્ગે આજે ગતિ કરી રહ્યા છે તેમ બની શકત નહિ. અકબર જે લેહી વહેવડાવ્યા વિના સમસ્ત જાતિઓને એકછત્રીભૂત કરી શકે કિંવા તેમને સંમિલિત કરી શકે એમ હેત અને છતાં તેણે જે પિતાની તલવારનો ઉપયોગ કર્યો હેત તે તે નિંદાપાત્ર ગણાત એમાં શંકા નથી, પરંતુ તેને માટે તલવારનો ઉપયોગ કર્યા સિવાય ઉદેશસિદ્ધિનો બીજો એક પણ ઉપાય નહતા. અન્ય પ્રજાનાં દૃષ્ટાંત જઈ તથા સાંભળીને ભવિષ્યને માર્ગ નિર્ધારી શકે એવી જાતિ હજી એશીઆ જેવા મહાદેશમાં જન્મીનથી. પરવીતી સાંભળીને જે હિંદી પ્રજા સાવચેત બનવાનું શીખી હતી તે અનેક દૃષ્ટાંત આમ નિષ્ફળ જાત નહિ. સુપ્રસિદ્ધ માલેસન સાહેબે લખ્યું છે કે “અકબરે પોતાની શક્તિને અખંડિત રાખવા માટે જ બરાબર વીસ વર્ષપર્યત યુદ્ધ કર્યું હતું. જે તે શાંતભાવે બેસી રહ્યો હોત તે તેના ઉપર હલે આવ્યા વિના રહેતી નહિ. લાંબા કાળને અનુભવ તથા વર્તમાન દૈનિક ઘટનાઓ આ એક વાત સિદ્ધ કરે છે કે ભારતવર્ષમાં જે આંતરિક શાંતિને અને સુખને પ્રચાર કરે છે તે સમગ્ર ભારતમાં એક સર્વપ્રધાન મહાન શકિતની પ્રથમ સ્થાપના કરવી જોઈએ. એક રાજાની અધીનતા નીચે સમસ્ત પ્રજાને એકત્ર કરવી, એ સમ્રાટ અકબરનું લક્ષ હતું.” એક લેખકે લખ્યું છે કે –“અકબરે નાનાં નાનાં રાજ્ય તાબે કરી તથા એક વિશાળ સામ્રાજ્ય તૈયાર કરી, તે દ્વારા ભારતવર્ષની અશાંતિ તથા અરાજકતા દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો. તેને પવિત્ર સંકલ્પ જોતાં આપણે તેના કાર્યની કોઈ પણ રીતે નિંદા કરી શકીએ તેમ નથી.” સમ્રાટોના દિગ્વિજ પ્રત્યેક દેશમાં પ્રત્યેક કાળે આવકારદાયક લેખાય છે. એ દૃષ્ટિએ પણ આપણે અકબરની કાર્યવલીને અનુમોદન આપીએ તે તે અસ્થાને નથી. ગમે તેમ છે, પરંતુ એટલું તે નિર્વિવાદ છે કે અકબરે પિતાથી બન્યું ત્યાંસુધી યુદ્ધ કે વિવાદ કર્યા વિના જુદા જુદા પ્રદેશ પિતાની સત્તા નીચે લાવવાનો પ્રત્યેક પ્રયત્ન કર્યો હતો, અને જ્યારે તેમાં તે ફળીભૂત ન થતા ત્યારે જ તે નછૂટકે યુદ્ધમાં પ્રવૃત્ત થતા હતા. જ્યારે કોઈ પણ જિતાયલે પ્રદેશ અકબરની અધીનતા સ્વીકારતે ત્યારે અકબર સહદયભાવે તેની સાથે સંધિ કરતે, એટલું જ નહિ પણ તે પ્રદેશના રાજાને પિતાના અતિ ઉચ્ચ રાજ્યકાર્યમાં પણ નિયુક્ત કરે અને તે જિતાયેલ પ્રદેશ દિનદિન ઉન્નતિ કરી શકે એવી વ્યવસ્થા કરતો. પિતાને આધીન થયેલા દેશોની પ્રગતિ માટે અકબરે જે જે પ્રયત્ન કર્યા હતા, તે ખરેખર ઈતિહાસમાં અપૂર્વભાવે પ્રકાશિત થઈ રહ્યા મૂળ બંગાળી ગ્રંથ લખાયા પછી જાપાને તેવું દષ્ટાંત પૂરું પાડયું છે. મંત્રી સલાહ Shree Sudhat make any Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy