SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમદિર ૩૩૭ દૃષ્ટિસન્મુખ રાખી કાર્ય કરી તથા આપે સમિલનઅર્થે જે જે પ્રયત્ન કર્યાં હતા તેનું મહત્ત્વ સમજી શકે એવી સદ્ગુદ્ધિ તેમાં જાગૃત થાઓ !” ત્યાં ઘેાડીવાર માનપૂર્વક અમે ઉભા રહ્યા અને સમાધિની એક પ્રદક્ષિણા ક્રૂરી અતિ અનિચ્છાપૂર્વક તથા અતૃપ્ત હૃદયે તે મહાપુરુષના પવિત્ર સંસગના ત્યાગ કરી બહાર આવ્યા. પૂર્વે એજ ગૃહમાં સમ્રાટનુ ખખ્ખર, વસ્ત્રો તથા પ્રિય પુસ્ત। વગેરે રાખવામાં આવ્યાં હતાં; પણ જાટ લેાકેા પાછળથી તે સ લઈ ગયા હાય તેમ જણાય છે. આ સમાધિમંદિરના બીજા ઓરડામાં મેગલરમણીઓની સમાધિ આવેલી છે. સમ્રાટના સમાધિમંદિરમાં ઔદ્ધ તથા મુસલમાન મંદિરની કારીગરી સમિલિત થયેલી છે; સમ્રાટે પોતેજ આ સમાધિ–મદિરની યાજના કરી હતી. પાછળથી જહાંગીરે તે અપૂ` રહેલી યેાજના પાર પાડી હતી. ત્રણ હજાર માણસાએ વીશ વ પ ત કામ રીતે આ મંદિર તૈયાર કર્યું હતુ. તે કાળે ૧૫ લાખ રૂપિયા આ મકાન માટે ખર્ચાયા હતા. ટેલર સાહેબે આ સમાધિમ ંદિરની ટાયે ચડીને પૂર્વ દિશામાં આવેલા પૂર્ણચંદ્રની માફક પ્રકાશતા તાજમહેલ જોયા હતા. તે લખે છે કેઃ– “ મેં મેગલસમ્રાટાના જે વૈભવા મારી દષ્ટિએ નિરખ્યા હતા અને અત્યારે નિરખી રહ્યો હતા, તેથી ખરેખર મને બહુ આશ્ચર્ય થયું. હું જાણે કાષ્ઠ મનેાહર સ્વમનું દર્શન કરી રહ્યો હાઉ એમજ મને તે વેળાએ લાગી આવ્યું. ” કાઉન્ટ આક્ નાવર લખે છે કેઃ– “સમ્રાટ અક્ષરની સમાધિએ મને જેવી અસર કરી હતી, તેવી અસર અન્ય કાષ્ઠ સમાધિએ કરી નહેાતી. આ સમાધિમદિર એટલુ બધુ મનેાહર છે કે પ્રાચીન દંતકથાઓમાં જે અપ્સરાએનાં નિવાસસ્થાના સબંધે ઉલ્લેખ મળી આવે છે, તે સ્થાનની પાસેજ આ સમાધિમંદિર જાણે કે ઉભું કરવામાં આવ્યું. હાયની પ્રેમ ! આ સમાધિનાં દર્શનસમયે જાણે હું કાઇ સ્વમ નિહાળી રહ્યા હૈાઉંની, એવા મને આભાસ થયા. હુ” જ્યારે તે મ ંદિરમાંથી આગ્રા ખાતે પાળે આવ્યા ત્યારે મે એવાજ નિશ્ચય કર્યો કે, અક્બરને તથા જે સમયે તેણે જન્મ લીધા હતા તે કાળને હું મારા હૃદયમાંથી કદાપિ દૂર કરીશ નહિ.” મેજર જનરલ સ્વીમેન સાહેબ લખે છે કે:- અકબરે જે દેશમાં અને જે ઢાળમાં જન્મ લીધા હતા, તેવિષે વિચાર કરવાથી એમજ લાગે છે કે કવિઓમાં જેવી રીતે શેક્સપિયર સર્વશ્રેષ્ઠ ગણાય છે તેવીજ રીતે અકમ્મર પણુ સમ્રાટોમાં મહાશ્રેષ્ઠ અને અનુપમ ગણાવા જોઇએ. આખરે જે પૃથ્વીને પવિત્ર કરી હતી, તે પૃથ્વીના એક સામાન્ય અધિવાસીતરીકે મેં તેની સમાધિ પ્રત્યે એટલુ' બધું માન પ્રદર્શિત કર્યું હતું કે, પૃથ્વીના અન્ય સમ્રાટા કે જેમના ઇતિહાસથી હું" માહીતગાર છુ, તેમનામાં કાપ્રત્યે હુ. એટલું. માન પ્રદર્શિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy