SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પડદો પડે! (ખેલ ખલાસી) ૩ર૭ હેય છે. ખરું કહીએ તે સામાન્ય જનસમાજને પિતાના પ્રાણની જેટલી પરવા નથી હતી, તેટલી પરવા અમીને પિતાના વૈભવ-વિલાસની હેય છે; એટલાજ માટે અમીરે ગમે તેવા મહાન આપત્તિના સમયમાં પણ ઉન્નતિના માર્ગે ગતિ કરી શક્તા નથી, તેમજ ખુલ્લી રીતે બહાર પડી શકતા નથી. આ સઘળાં કારણે વિષે વિચાર કરવાથી એમ સ્પષ્ટ જણાય છે કે, અસંખ્ય સાધારણ જનસમાજની ઉપરજ કે પણ દેશની જાતીય શકિતને આધાર રહે છે. વસ્તુતઃ અમીર વર્ગ એ દેશરૂપી શરીરને વર્ણ કિવા બાહ્ય શોભાયાત્રજ છે, જ્યારે સામાન્ય સમાજ એ દેશરૂપી શરીરના હાડ-માંસરૂપ હોય છે. આ હિતકર અને આ અતિ અગત્ય ધરાવનારે અગણિત સાધારણ જનસમાજ ઘણા લાંબા સમયથી ભારતવર્ષમાં અમીરવર્ગ તરફથી તિરસ્કાર તથા અપમાન પામતે રહ્યો છે. રાજ્ય સંબંધી વ્યવસ્થામાં તેમને મુલજ અવાજ રહેવા દીધા નથી, રાજકીય વ્યવસ્થા સાથે જાણે કે તેમને કોઈ પણ પ્રકારનો સંબંધ જ નથી એમ મનાઈ ગયું છે ! જે દેશમાં રાજયવ્યવસ્થાને ભાર સાધારણ જનવર્ગ ઉપર રહેલું હોય છે, તે દેશમાં સઘળાઓ સાથે મળીને કામ કરવા લાગી જાય છે. તેમાંને છેડે ભાગ કદાચ પિતાને સ્વાર્થ સાધવાની વાસના રાખે તે પણ પ્રજા વર્ગના મહાન સમૂહનું બીલકુલ અનિષ્ટ થઈ શકતું નથી. જે સ્થળે રાજ્યવ્યવસ્થાનો ભાર માત્ર રાજા અથવા અમુક અમીરો કે ઉમરા ઉપરજ રહેતો હોય છે, તે સ્થળે સમસ્ત દેશના કલ્યાણને આધાર અમુક ગણ્યાગાંઠયા મનુષ્યોની શુભાશુભ ઈચ્છા ઉપરજ રહે છે. ત્યાં અમીરો જે પિતાનો સ્વાર્થ સાધવા તૈયાર થાય છે તેથી સમગ્ર દેશનું સત્યાનાશ નીકળ્યા વગર રહે નહિ. પ્રાચીન ભારતમાં પરોપકારમય જીવન ગુજારનારા તથા નિઃસ્વાથી મહર્ષિ સમાજના અગ્રભાગે વિરાજતા અને રામ તથા યુધિષ્ઠિર જેવા નૃપતિઓને શ્રેયસ્કર માર્ગે લઈ જતા હતા; એટલા માટે તે યુગમાં સાધારણ જન સમાજ જે કે રાજનૈતિક વિષયમાં માથું મારતો નહતો છતાં તેમને કોઈ પણ પ્રકારની અગવડ વેઠવી પડતી નહોતી. શ્રદ્ધયુગમાં ભારતવાસીઓ એટલા બધા સંકુચિત વિચારના કે સ્વાથી નહેતા. સાધારણ જનસમાજ તે સમયે એટલે બધા તિરસ્કારપાત્ર કે ઉપેક્ષા કરવાગ્ય ગણાતું નહોતું. બૈહયુગમાં અજ્ઞાન–અંધકાર અનેક અંશે દૂર થયું હતું અને અમારે તથા શ્રીમતિ પણ મજશોખ કે વિલાસ-વૈભવના એટલા બધા ગુલામ બન્યા હતા. આ સર્વ કારણોને લીધે તે સમયે પણ ભારતવર્ષ પિતાનું ગૌરવ સંપૂર્ણ પ્રકારે સુરક્ષિત રાખી શકો હતા. ત્યારબ ધીમે ધીમે હિંદની સ્થિતિમાં ફેરફાર થતે ગયે. અમુક રાજાઓ તથા તેમના અમાત્ય અને પ્રધાને એકમાત્ર પિતાના સ્વાર્થભણી દષ્ટિ રાખી રાજ્યકારભાર ચલાવવા લાગ્યા. એમ થવાને લીધે મુસલમાનોના જુલમ સમયે અથવા અંગ્રેજોના હુમલા સમયે ભાShહતના ભિન્ન ભિન્ન પ્રદેશના હિંદુ રાજાઓ, ભાવી આફતની ભયંકરતા સમજવા Shree Suunarmaswami Gyanbhandar-Vinara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy