SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજનીતિ ૧૮૧ દેશની સધળી પ્રજાઓને સમિલિત કરી, મહા શક્તિમાન અનાવવાની હિલચાલ કરવાની વિરુદ્ધમાં રહેતી હાય તે પ્રજા અથવા અતિ એકવાર ગમે તેટલી પ્રબળ હાય તાપણુ કાળક્રમે તેનું અધઃપતન થયા વગર રહેતું નથી. ખીજી તરફ જોઈએ તા જે દેશમાં અનેક જાતિઓ વસતી હોય, છતાં જે તે દેશના કલ્યાણાર્થે સ્વાર્થના ભાગ આપવાને તથા સ ંમિલિત થવાતે સદા તૈયાર રહ્યા કરતી હાય તેા તે જાતિ એક કાળે ગમે તેટલી અવનત હાય, ગમે તેટલી જંગલી અવસ્થામાં હાય તાપણુ કાળક્રમે અતિ ઉન્નત થાય અને અન્ય સ ઉન્નત દેશની પ્રજાએકરતાં આગળ વધી જાય, તેમાં ક્રષ્ટિજ આશ્ચર્ય નથી. એમાં પ્રથમ પ્રકારનું દૃષ્ટાંત જોઇતુ હાય તે ભારતવ તરફ અને ખીજા પ્રકારનું દૃષ્ટાંત જોઇતુ હાય તા મહા બળવાન ગ્રેટગ્રીટન તરફ દષ્ટિપાત કરી. ગ્રેટબ્રીટનમાં સર્વાંથી પ્રથમ પિંકટસ, સ્કેટસ, વેલ્શ વગેરે જાતિઓ રહેતી હતી. ઉકત સધળી જાતિઓ અનેકવાર કેટસ, રામન્સ, બ્રુટસ, સૅકસન્સ, ડેન્સ, નારમન્સ આદિ જાતિઓદ્વારા ઉપરાઉપર પરાજીત થઇ હતી; પરંતુ નવી આવનારી જાતિઓમાં મળી જવાના અપૂર્વ ગુણને પ્રતાપે આજે ઉકત સમસ્ત જાતિના સમિલનરૂપે અંગ્રેજ નામની કેવી એક મહા બળવાળી તથા મહા પરાક્રમવાળી જાતિ તૈયાર થઇ છે ? જો તેમણે પ્રથમથીજ ભિન્ન ભિન્ન પડયા રહેવાનું પસંદ કર્યુ હાત અને એક બીજી જાતિ સાથે મળી જવામાં અપમાન માન્યું હાત તા આજે જે અંગ્રેજ જાતિ પૃથ્વીના મેટા ભાગમાં જે સત્તા વર્તાવી રહી છે તે સત્તા • કદાપિ તે પ્રાપ્ત કરી શકત નહિ; એટલું જ નહિ પણ ગ્રેટબ્રીટનની મૂળ જાતિ પણ કયારે કચરાઇ ગઇ હાત, તેને પણ ઇતિહાસ હિસાબ રાખત નહિ ! જેનાં પ્રત્યેક કા માં સ્વદેશહિતની ભાવના સ્પષ્ટપણે પ્રતીત થતી હાય તેજ યથાર્થ સ્વદેશહિતૈષી છે, એમ સમજવું. અક્ષર પણુ એજ પ્રકારના એક મહા સ્વદેશહિતૈષી મહાપુરુષ હતા. તેની પ્રત્યેક ક્રિયા તેના સ્વદેશપ્રેમને સૂચવી રહી છે. તે કહેતા કે “ભારતવમાં આટલી ભિન્ન ભિન્ન જાતિ જોવાથી મને ક્રાપ્ત રીતે શાંતિ થતી નથી. ” તેણે પરસ્પર ઈર્ષ્યા–વિદ્વેષ કરનારી હિંદુ-મુસલમાન જાતિને સંમિલિત કરી, એક જાતિરૂપે સમાજને તૈયાર કરવાના અને એ રીતે ભારતવર્ષીને મહાકિતવાળા મહાદેશ બનાવવાના પ્રત્યેક પ્રયત્ન કર્યો હતા. સામાજિક નીતિ-નિયમેામાં સુધારા કરવા તેણે પોતાનાથી ખની શકે તેટલું કર્યું હતુ. તે ઘણીવાર એમ કહેતા કે “ મનુષ્યમાત્ર યુકિતને માન - પીને વ્યવહારમાં ચાલવું જોઋએ. યુકિત કિવા વિવેકબુદ્ધિના આશ્રય ગ્રહણ નહિ કરનાર મનુષ્ય ક્રાઇ કામમાં સફળતા મેળવી શકતા નથી.” તેણે પોતાની વિવેકબુદ્ધિને અનુસરી ભારતવર્ષના કલ્યાણાર્થે હિંદુમુસલમાનને એકત્ર કરવાની • ભગીરથ હિલચાલ કરી હતી. કમનસીબે તેની હિલચાલ જેવી જોઇએ તેવી સફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy