SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ સમ્રાટ અકબર રાખીને પણ ફેડી શકાતી હતી. હાથીઓની સંઢ ઉપર બખ્તરે જપી લેવામાં આવતાં અને એ કેળવાયેલા હાથીઓ સૂંઢમાં મેટી તરવારે લઇ શત્રુસેનામાં ધસી જઈ મનુષ્યોને સંહાર કરતા. તેના મહાન વનિઓથી અને અગ્નિના ભયંકર ભડકાઓથી હાથીઓ ગભરાઈને નાસી ન જાય, એટલું જ નહિ પણ તેઓ પોતે સુંઢમાંની તરવારદ્વારા શત્રુને નાશ કરે, એવું સમ્રાટે હાથીઓને શિ ક્ષણ આપ્યું હતું. પશુ–સમ્રાટની સુવિશાળ હસ્તીશાળામાં નિરંતર ૫૦૦૦ હાથીઓ રાખવામાં આવતા. અકબરને હાથીઓને બહુ શોખ હતો તેથી જૂદા જૂદા દેશોમાંથી ગમે તેટલા ખર્ચે તથા ગમે તેટલા પરિશ્રમે અતિ ઉત્કૃષ્ટ હાથીએ પિતાના રાજ્યને માટે તે મંગાવતે. એકાદ ઉત્તમ હાથીને માટે લાખ રૂપિયા આપવા પડે તે પણ તે વિનાસંકોચે આપતે. સમ્રાટની અશ્વશાળામાં ૫૦૦૦-૬૦૦૦ અતિ ઉત્કૃષ્ટ અશ્વો કાયમને માટે રાખવામાં આવતા. અરબસ્તાન, ઈરાન, તુર્કસ્તાન તથા કાબૂલ અને કાશ્મીરમાંથી ખાસ અશ્વો સમ્રાટની અશ્વશાળા માટે મંગાવવામાં આવતા હતા. એકાદ સર્વોત્તમ અશ્વને માટે સમ્રાટે ૫૦ સેના મહેર જેટલી કિંમત પણ ભરી આપી હતી. સમ્રાટ જે અશ્વ અથવા જે હાથી ઉપર આરોહણ કરતે તે અશ્વ તથા હાથીને વિવિધ મણિમુક્તાઓ તથા સ્વર્ણાલંકારેથી શણગારવામાં આવતા. સમ્રાટને માટે અશ્વ ઉપર નાખવાનું છન ખાસ સેનાનું જ બનાવવામાં આવ્યું હતું અને તેની ઉપર મણિમુકતા આદિ કિંમતી જવાહીરે જડી લેવામાં આ વ્યાં હતાં. અકબર જ્યારે હાથી કે અશ્વ ઉપર સ્વારી કરતા ત્યારે તે જ ક્ષણે તેના પાલકને અમુક ઈનામથી સંતોષવામાં આવતું. કેઈ પણ અશ્વ ભારતવર્ષમાંથી બહાર દેશાવરો ખાતે ન જાય તે માટે સમ્રાટે ખાસ કાયદો કર્યો હતે અને એ કાયદાને પૂરેપૂરો અમલ થાય તે સારૂ તેણે કેટવાળો વગેરેને ખાસ સાવચેતી આપી હતી. સમ્રાટની પશુશાળામાં ઉંટેનો પણ ટેટ નહોતે. સૈનિકે ઘણીવાર ઉો. ઉપર બેસીને હાથમાં બંદુક લઈને શત્રુઓનો વિનાશ કરતા. એક ઉત્કૃષ્ટ ઉંટને માટે સમ્રાટે ૧૨ સેના મહેરોની કિંમત આપી હતી. તે સમયે ગુજરાતની ગાયો સર્વોત્તમ ગણાતી હતી. બંગાળમાં અને દક્ષિણ પ્રદેશમાં પણ ઉત્તમ ગાયો મળી આવતી હતી. એક એક ગાય તે સમયે રાજ અર્થો મણ જેટલું દૂધ આપતી. ગાયના રક્ષણ તથા પિષણ માટે સમ્રાટે ખાસ કાયદાઓ ઘડી અને ઈનામો આપી લેકેને ઉત્તેજન આપ્યું હતું. સમ્રાટે પિતે એક વાર ૫૦૦૦ રૂપિયા આપી બે ગાયો વેચાતી લીધી હતી. પિતાની પશુશાળાના G હાથીઓ તથા અન્યો ચકકસ સમયે ચોકકસ પ્રકારને આહાર મેળવે છે કે નહિ, Shreesudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy