SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૮ સમ્રાટ અકબર કરી. ફરિદ તેને બહુ આદર-સત્કારપૂર્વક આવકાર આપ્યો અને સમ્રાટ અકબર ની તાબેદારી સ્વીકારવાને વિવિધ પ્રકારે ઉપદેશ આપે. સમ્રાટની સત્તા નીચે રહેવાથી શું શું લાભ પ્રાપ્ત થવાને સંભવ છે, તે સર્વે વિગતવાર સમજાવ્યું. પણ બહાદુરે મોગલ સમ્રાટની સત્તા સ્વીકારવાની સાફ ના પાડી. રાજા પુનઃ ત્યાંથી પિતાના કિલ્લામાં આવ્યો. અકબર પિતે કદાપિ કેઈને વિશ્વાસઘાત કરતો નહોતે, પ્રાણુતે પણ તે પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતો નહોત; એટલું જ નહિ પણ પિતાના રાજ્યના જે અમલદારો એ વિશ્વાસઘાત કરતા તેમને પણ તે સખ્ત સજા કર્યા વિના રહે નહિ. મતલબ કે તેની સુનીતિ સર્વે સારી પેઠે સમજતા હતા; તેથી ફરિદ રાજાને વિશ્વાસઘાત કર્યો નહિ. ફરિદ જે ધાર્યું હેત તે કિલાના અધિપતિને બહુ સહેલાઈથી કેદ કરી શકત; પણ વિશ્વાસને ભંગ થાય તે સમ્રાટ પિતે ગુસ્સે થયા વિના રહે નહિ, એમ ધારી તેણે બહાદૂર ઉપર કઈ પણ પ્રકારને અન્યાય કર્યો નહિ. કેટલાક રાજનીતિજ્ઞ ફરિદની આવી ન્યાયપ્રિયતા માટે તેના પ્રતિ આક્ષેપ કરે છે અને તેણે બહાદૂરને કેદ ન કર્યો તે માટે તેને ઠપકે આપે છે, પણ તે આક્ષેપનો ઉત્તર આપતાં ફ્રેઝી શરહિંદી લખે છે કે –“ જુલમ, વિશ્વાસઘાતકતા તથા પ્રતિજ્ઞામંગનું પરિણામ કોઈ પણ કાળે કોઈ પણ સ્થળે સારું આવ્યું નથી.” અનીતિનો આશ્રય લેવાથી જે કે કેટલીકવાર કેટલાક અગ્ય રાજનૈતિકે ફાવી પણ જાય છે, પરંતુ પરિણામે તેઓ પિતાની સત્તાને ભયંકર હાનિ પહોંચાડ્યા વિના રહેતા નથી. ફરિદથી કાંઈ થઈ શકે એમ રહ્યું નહિ, તેથી છેવટે અબુલ ફઝલને ત્યાં આવવું પડયું. તેણે ખાંડવ પ્રદેશમાં બાવીશ સ્થળે સૈન્યની સ્થાપના કરી અને ક્રમે ક્રમે સમસ્ત પ્રદેશ મેગલસામ્રાજ્યમાં ભેળવી દીધો. તેણે કઈ ખાસ વ્યક્તિની મિત લૂંટી લેવાને જુલમ કર્યો નહોતો. અબુલ ફઝલે મોગલ સમ્રાટના નામે દક્ષિણમાં એવો તે સુંદર બંદોબસ્ત કર્યો કે નાનાંમોટાં અનેક રાજ્ય ધીમે ધીમે તેની સત્તાતળે પિતાની રાજી-ખુશીથી આવવા લાગ્યાં. ખેડુતો નિર્ભયતાપૂર્વક પિતપોતાનું કાર્ય બજાવવા લાગ્યા અને થોડા જ સમયમાં સમસ્ત પ્રદેશ શાંત અને ગંભીર બની ગયા. માત્ર એક આસીરનો કિલ્લે જ એ હતું કે જે મેગલેના હાથમાં આવ્યા નહતા. અંતે સમ્રાટ અકબર પોતે એ કિલ્લાની પરિસ્થિતિ નિહાળવા હાજર થયા. કિલ્લાની આસપાસ સર્વત્ર બારીક નિરીક્ષણ કરવાથી તેને જણાયું કે ચિતડનો કબજે લેતી વેળા જે યુકિતથી કામ લેવામાં આવ્યું હતું તે યુક્તિ આ વેળા કઈ રીતે સાર્થક થાય તેમ નથી, છતાં તેમણે પર્વતની આસપાસ ચોતરફ સૈન્યની છાવણીઓ ગોઠવી દીધી અને કેવળ બાહુબળધારા કિલ્લે ફતેહ કરવાનો પ્રયત્ન આરંભ્યો. મહામહેનતે કિલ્લા ઉપર જવાને જે માર્ગ હતું, તે માર્ગShવાળી એક ટેકરી તેમના હાથમાં આવી. આ ટેકરી ઉપર રહીને તેમણે સર્વશી ICIL Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat Gી www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy