SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સમ્રાટ અક્બર જંગલેાવાળા મેદાનમાંથી અન્ય મેદાનમાં આગળ ગતિ કરવા લાગ્યા. થાડે દૂર ગયા પછી ખીરખલે સ્વાધીનતાના મદથી છકેલા, બળવાન, સાહસી અને જ ંગલી પહાડી મનુષ્યાનાં ટોળેટોળાં આસપાસના પતા ઉપર એકત્રિત થતાં અને લડાઇની તૈયારી કરતાં પ્રત્યક્ષ નિહાળ્યાં. ખીરબલ નિરાશ કે નાહિંમત થયા નહિ. તેણે આગળ વધવાનું ચાલુજ રાખ્યુ, ક્રમે ક્રમે તે વિપત્તિવાળા ભયંકર ક્ષેત્રમાં દાખલ થયા. શત્રુએની મેટી સખ્યા પર્વતની આડે રહી માગલસેનાના વિનાશ કરવા લાગી અને લાગ સાધીને પુનઃ પુન: પર્વતની ગુફામાંથી બહાર નીકળી ખીરખાને ત્રાસ આપવા લાગી. મેગલસેના વા ખીરબલ આવા ઉપદ્રવેાથી કંટાળીને નાસી જાય તેમ નહતુ. તેમણે પણ પ્રસંગાપાત પહાડી જાતિપર હુમલા કરી બને તેટલા શત્રુને સહાર કરવા માંડયા. આ પ્રકારના હુમલામાં ખીરબલના સૈન્યને ધણીવાર પરાજિત થઇને નાસી જવું પડતું, ધણીવાર મહાન ખુવારી સહન કરવી પડતી અને ઘણીવાર અનેક સૈનિકા પહાડામાં આડાઅવળા ભટકી અડાળે મરણને શરણુ થતા. છતાં રાજા ખીરમલે પોતાનું કર્તવ્ય સંપૂર્ણ કરવામાં લેશ પણ આળસ કે પ્રમાદ કર્યાં નહિ. તેને પેાતાને પણ અનેકવાર પ્રાણાંત કા સહન કરવાં પડતાં, એટલુંજ નહિ પણ ભૂખ્યાં અને તરસ્યાં જંગલામાં ભટકવું પડતું, છતાં તે કંટાળીને પાછો ડયા નિહ, આ પાડી જાતિ શરણે ન આવે ત્યાંસુધી આ વિકટ પહાડામાં રહીને પણુ યુદ્ધ કરવુ, એવા ખીરખલે નિશ્ચય કર્યો. જેનખાં નામને એક મુસલમાન સરદાર કે જે ખીરબલની સાથે હતા તેને રાજા ખીરબલના આ નિશ્ચય ગમ્યા નહિ; કારણ કે તે આ પર્વતની ભયંકરતા તથા શત્રુની પ્રભળતા જોઇ આગળથીજ ગભરાઈ ગયા હતા. તેણે ઉક્ત પઢાડી જાતિ સાથે સંધિ સ્થાપવાની રાજા ખીરખલને ભલામણ કરી. ખીરમલે તે ભલામણને કશુજ વજન આપ્યું નહિ; તેણે કહ્યું કેઃ (6 ધ્રુવળ સધિદ્વારા શુ તમે એક જ ંગલી જાતિને સુધારી શકેા તેમ છે ? પરિશ્રમ અને ઉત્સાહવિના કદાપિ કાષ્ટ પણ મહાન કાર્ય સિદ્ધ થાય એવી આશા રાખવી એ સ્પષ્ટ મૂર્ખતા છે. ધારા કે તે જંગલી પ્રશ્ન આપણી સાથે સંધિ કરે, તાપણુ આપણે શું માઢું લઈને સમ્રાટની પાસે જઇ શકીએ ? સંધિ કરવામાં આપણી બહાદૂરી નહિ, પણ નિ`ળતાજ સિદ્ધ થાય તેમ છે. ” આ પ્રમાણે એ મુખ્ય સેનાપતિઓ વચ્ચે મતભેદ ઉત્પન્ન થવાથી બન્ને વચ્ચે વૈરનાં ખીજ રાપાયાં. બન્ને સેનાધ્યક્ષાએ જૂદી જુદી દિશામાં પેાતાનુ સૈન્ય માકલી દીધું અને એક સ્વતંત્રપણે પેાતાને યાગ્ય લાગે તેમ વર્તવા લાગ્યા. રાજા ખીરમલ પેાતાની શક્તિ પ્રમાણે સમ્રાટ અને સામ્રાજ્યના હિતને અર્થે લડવા લાગ્યા. એક દિવસે રાજા ખીરબલને એવા સમાચાર મળ્યા કે, અમુક સ્થળે પર્વતીય જંગલી પ્રા મેાગલસેનાને ઘેરી લેવાની મહાન હિલચાલ કરી રહી છે. ” તેજ ક્ષણે ખીરમલે 61 " Shree Sudharmaswam Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy