SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સમ્રાટ અકબર આઠે પ્રહર તેના મનમાં કેવળ એકજ ચિંતા ખળાનપણે વર્તવા લાગી; અને તે એજ કે:—“દેહનું પતન થાય તેા ભલે, પણુ કર્તવ્યની સાધનામાં પાછું પગલુ ભરવું નહિ. ” અર્થાત્ તેદું પાતયામિ વા કાર્ય સાધયામિ । વસ્તુતઃ વીર પુરુષાનુ` એજ લક્ષણુ હાય છે, સાધક નરની એજ પદ્ધતિ હાય છે અને દેશહિતષિતાની એજ પ્રતિજ્ઞા હોય છે. tr tr રાજપૂતા જ્યારે સૈન્ય સાથે લડવાને બહાર પડે છે ત્યારે તેમની આગળ સૈનિકવાદ્યની ઘેાષણા થાય છે; અર્થાત્ સૈન્યના પ્રયાણુસમયે સમસ્ત સૈનિકાને માખરે રણવાદ્ય ગર્જના કરતુ. સૈનિાની સાથેજ આગળ વધે છે. મેવાડના રાજપૂતાની આ પ્રાચીન પદ્ધતિ છે. પ્રતાપે એ પદ્ધતિના અસ્વીકાર કરતાં કહ્યું. કે: “યિતાડનું પતન થઈ ચૂકયું છે, આપણે શું માં લઇને રણવાદ્યને વેષપ્રતિધેાષ કરી શકીએ તેમ છીએ ? આપણું સૈન્ય ચિતાડના ઉદ્ધાર કરવાને સમથ થાય નહિ, ત્યાંસુધી તેના અગ્રભાગે રણુવાદ્ય વાગી શકશે નRsિઆપણુ ગારવ ચિતાની સાથેજ નષ્ટ થ્યું છે, હવે તે એ રણવાદ્યને આપણી સના પાછળ રાખવું અને પાછળ રહીનેજ તે આપણા કલંકની ગર્જના કરે એજ ઈચ્છવાચૈાગ્ય છે. જે રણવાવ પ્રથમ આપણી આગળ રહીને આપશુા ગૈરવની ઘેાણા કરતું હતું તેને હવે આપણી પાછળ પાછળજ આપણા કલકતી, અપમાનની અને નિર્વીયતાની ધેાષણા કરતું ચાલવા ઘો” માત્ર એટલું જ નહિ, પણ પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે “ જ્યાંસુધી ચિતેાડના ઉદ્ધાર નહિ થાય, ત્યાંસુધી તે પોતે તથા તેના વંશજો કાઈપણ વિદ્યાસ-સામગ્રીના સ્પર્શ કરશે નહિ; ત્યાંસુધી તે વૃક્ષપત્ર સિવાય અન્ય કોઇ ધાતુપાત્રમાં ભાજત કરશે નહિ, ત્યાંસુધી તૃણુશય્યા સવાય ખીજી પથારીએ શયન કરશે નહિ અને ત્યાંસુધી મુંડન પણ કરાવશે નહિ. ’’ મહારાણા પ્રતાપસિંહુ આવી પ્રતિજ્ઞાજમાત્ર કરીને બેસી ન રહ્યા કિવા તે પ્રતિજ્ઞાને માત્ર વાણીમાંજ બધ કરી રાખી નહિ. તેણે એક તરફ ઉપર પ્રમાણેનુ કઠેર તપસ્વી-જીવન વ્યતીત કરવાને! આરંભ કર્યાં અને ખીજી તરફ ચિતે.ડના ઉદ્ધાર અર્થે ગએલું ગારવ પુનઃ પ્રાપ્ત કરવા માટે અતુલનીય વીરત્વ દર્શાવવા માંડયુ, આત્મસમાન સિવાય અન્ય કોઇ વિચાર મહારાણાના મગજમાં આવી શકતા નહિ. સ્વદેશેાહાર સિવાયના કાઇ પણ સ્વાથી વિચાર તેના અંત:કરણના કાઇ એક ખૂણામાં પણ ઉદિત થઇ શકતા નહિં. તેના પુસ્ત્રાર્થ એવી પવિત્ર પંક્તિના હતા, તેનું મહાતેજ એવું સ્વર્ગીય હતું કે મેં તેજ અને એ પુરુષાથ ને સાંસારિક વિત્તનો પરંપરાએ પણ મિલન કરી શકતી નહિ, સંસારના ક્રાઇ પશુ પ્રલેભનથી એ પવિત્રતા કે દિવ્યતા ઝાંખી થઇ શકતી નહિં. જો એ સમયના સમસ્ત રાજપૂત નૃપતિ પ્રતાપની સ્વર્ગીય ભાવનાને અનુસરી શકયા હાત, અને પ્રતાપની પવિત્ર તપસ્યામાં સહાયતા આપવાને બહાર પડયા હોત, તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy