SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા રૂદ્રદામા, શાતિ, રૂદ્રદામાના ઉત્તરાધિકારીઓ વિગેરે સંબધી હકીકત આપણે પાછલા પ્રકરણેામાં વાંચી, તે સાથે મૂળ શિલાલેખા વિગેરે પણ જોયા. આ વિભાગમાં રાજા રૂદ્રદામા અને તેની પ્રશસ્તિ સંબંધી કેટલીક ઇતિહાસથી વિરૂદ્ધ અને અસંબદ્ધ હકીકતા કાઇ કાઈ સ્થળે આળેખાયલી જોવામાં આવે છે તેને વિચાર કરવામાં આવ્યે છે. તેમાં ખાસ કરીને ડૉ. ત્રિભુવનદાસ શાહના પુસ્તકામાં મહાક્ષત્રપ રૂદ્રદામા સબંધી ઘણા ઉલટા સુલટા વિધાના મળી આવે છે. તેમાં રૂદ્રદામાને સ્થાને બીજા રાજાઓને સ્થા પવામાં આવ્યા છે, અથવા રૂદ્રદામાનું કાર્ય ખીજાને નામે ચડાવી દેવાયુ હાય એવાં કથન મળી આવે છે. આ પ્રકરણમાં માટે ભાગે તા અશોક રાક‘ગિરનાર ખડક લેખ ’ ઉપરના રૂદ્રદામાના લેખ સંબંધી જે ફેરફારવાળી માન્યતાઓ છે તે સંબધીજ વિવેચન કર્યું છે. એ પ્રશસ્તિ કેાની છે એ સબ ંધી નિર્ણય કરતાં એ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે— અત્યારે વિદ્વાનેાની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચઋણુવંશી મહાક્ષત્રપ રૂદ્રદામને કાતરાવી છે. પ્રા. ભા. ૨/૧૮૯ આ પ્રશસ્તિ ક્ષત્રિય રૂદ્રદામને લખાવી હતી, એમ અદ્યાપિ વિદ્વાનાની માન્યતા થઇ છે. મારૂ મન્તન્ય એમ છે કે તે બધી પ્રશસ્તિ સમ્રાટ પ્રિયદર્શિનની છે. પ્રા. ભા. ૨/૩૦૫ ....સુદર્શન તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે સ ંશાધકા ક્ષત્રપ સમ્રાટ રૂદ્રદામનને ઠરાવે છે. જ્યારે હું તેના યશ મહારાજા પ્રિયદર્શનને અપું છું. પ્રા. ભા. ૨/૩૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy