SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તાદુઃવાર [ ક. - લલિતા–અબડદાર પથીરામ ! જે જે વસ્તુ ઓછું બેલ. કજિયાબાઈ–બેલ્યો, બેલ્યો; એનું મહાજ કહે છે. હવે બીલે તે કેહવાડે ડાચું ચીરૂં. ગુલાબ–આ તે સારી રીતે કેવી કહેવાય! જેવું કર્કશાબાઈ ! બ્રાહ્મણનો હવે વાંક છે? કરા--મેઈ રાંડ અભાગણી સાસ ને કળ વળવા દેતી નથી. કજિયાબાઈ–- (ડતાં) મોઈ હું રાંડ અભાગણી, જે તારે પેટે પથ્થર અવતરી નહિ. દવે મારું બગાડ્યું, એટલે તે પછી તારી નજરમાં આવે તેમ બેલ. લલિતા-નણંદ ! હું તમારે પગે લાગું છું કે તમે હવે કોઈને બોલ્યા સામું જોશે નહિ. કજિયાબાઈ–જાણું હવે તને ડહાયેલી. હમણાં ડાહાયેલી થાય છે, ત્યારે પેહેલેથી કેમ પાંગરી રહી નહિ, જે મારીને સસરાનું નખોદ વાળી દીધું ગુલાબ-જીભ તારી રાખ સખની. જેને તેને વગર કારણે કરડવા શું જાઉં છું. કજિયાબાઈ––જ્યાં મા વેરીની પેઠે સામી થઈ, ત્યાં લેક નજરમાં આવે તેમ કહેતે. (૨ડે છે.) કર્કશા–બહેન ! રહે છાની. (તેને છાતી સરસી ચપે છે.) ગુલાબ-કર્કશાબાઈ! એને લઈને ચાલે આપણે જઈએ. (જાય છે.) પંથીરામ–લલિતા! પહેલેથી જે મેં સપાટ માર્યો હતો નહિ. તે આ રાક્ષસ તને જંપીને બેસવા દેત નહિ. લલિતા-મૂર્ખ હોય તેને નમી પડવાથી, અને ચડાવીને કામ લેવાથી ઠીક પડે છે. મારે પૂરા ભોગ મળ્યા છે. પંથીરામ! જે ગુલાબબાઈ હોત નહિ, તે અત્યારે પૂરી ફજેતી હતી. પથીસમ–ફજેતી શી હતી ? રંડાઓને એટલે ઝાલીને બહાર કાહડત, એટલે એની મેળે પાંગરી થાત. લલિતા--કાલે તો તું નક્કી કહિ શોધ કરવા નીકળ. પથીરામ–એ વિષેની તારે કશી હાયવરાળ કરવી નહિ. જ્યાં હશે ત્યાંથી દંભરાજ અને નંદનકુમારને હું લાવીશ. બુદ્ધિસાગર સાથે છે, તેથી ઠીક છે.. લલિતા ! હવે ઈશ્વર કરશે તે, સર્વે વાતે સારાં વાનાં થશે. દંભરાજ નરમ સ્વભાવના છે; વળી બુદ્ધિસાગર એને મિત્ર છે, તેથી એની અને એની વહૂ ગુલાબની આપણને ઘણી ઓથ ભળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy