SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેરા ૨ . ] ચિંતાદુઃ . ચુંદડી મુજ મડદાને મગ વીંટવા, ચારીચિતામાં ભડભડ લાગત કાઠજે. ત્યારે તે નવ દેખત આવા દિનને, આ તે ઉગ્યાં પિલા ભવનાં પાપ જે; ત્યાર વિના આવું શું દુઃખ મુજ જાતને, લાગ્યો મુજને કેહેની કોને શાપ જે. સાંભળ. ૮ પિયુ નહિ પાસે એ દુઃખ હું રડતી નથી, આ તે બીજું મનાય નહિ એ દુઃખ છે; ટળશે તે જઈશું ચિંતામાં જાહરે, આ ભવમાં ક્યાંથી મુજને કાંઈ સુખ જે. સાંભળ. પ્રભાવતી. (ગદિત કંઠે માલિની છંદ.) સહિયર લલિતા તું, રે ! બની કેમ આવી, અતિ દુખમય કયાંથી શોકની વાત લાવી; શશિસમ તુજ શોભા. રે ગઈ છેક નાશી, કમળવદન કાન્તિ, ગ્લાનિ દેખું હું આ શી? બહુ નહિ અકળા તું, આંખધારા શી ચાલી ! બની મસ અધિરી હું તાહરે ખેદ ભાળ; હૃદય તુજ ભરાયું, દે કરી તે તું ખાલી ગહન ગતિ પ્રભુની, લક્ષમાં રાખ વાલી. લલિતા–(“ વનચર વીરા વધામણી” એ રાગ–બેલાવર) (૨ડતાં.) સહિયર દુખ શું દાખવું, મન ભડકે બળે છે, ચિન્તાનો તાપ તપી ગયો, હાડ મારાં ગળેછે. સહિયર. ૧ પત્ર પ્રીતે મ પાઠવ્યું, પંથીરામની સાથે જોઈ ચરિત્ર તેણે કહ્યાં, મા છે મૂર્ખ માથે. સહિયર૦ ૨ અબુધ પતિ એ અભાગિયો, વેશ્યાનો છે યારી; અકલ કોડીની છે નહિ, હવે શી ગતિ મારી. સહિયર૦ ૩ ગરજ નથી તેને માહરી, મન મુજમાં છે નહિ; ધન, ભાલ નાંખે ઉડાવીને, એના પિતાને કે નહિ. સહિયર = ૪ મન મળશે કયમ માહરું, એવા પિયુની સંગે, ૨૫ ગુણ જેમાં મળે નહિ, એથી રમિયે શું રંગે સહિયર. ૫ પેલા ભવની હું પાપણી, કીધેલાં કુડાં કર્મ, પુણ્યદાન વિસારેલાં, ચૂકેલી નિજ ધર્મ. સહિયર. ૬ ૧ ગુખ. ૨ કરમાઈ ગયેલી. ૩ અકબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy