SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ જ્યાં હતા ત્યાં જ સ્થિર થઈ ગયા. તેઓ એક બીજાની તક ટગર ટગર જોવા લાગ્યા. તે સર્વના ત્રિામાં અને શરીર ઉપર એક જાતના ભયની છાયા ઇવાઈ ગઈ. આમ તે આનંદમાં વિષાદની છાયા ભેળા રંગમાં ભંગ થઈ ગયે. - તે લોકો એક બીજા તરફ જોતા હતા છતાં કોઈની છાતી નહોતી થતી કે તેઓ એક પણ શબ્દને મુખમાંથી ઉચાર કરે! તેટલામાં જ ઉઘડેલા ગુમ દરવાજામાંથી એક ચમત્કારિક આકૃતિ દુર્જનસિંહના આસનની પાસે આવીને ઉભી રહી. ' તે આકૃતિના મસ્તક ઉપર શિરસ્ત્રાણ હતું, તેના શરીર ઉપર ચળકતું બખ્તર અને હાથમાં નાગી યમરાજની જિવા જેવી ચમકતી તરવાર હતી. એવા પ્રકારની તે આકૃતિ દુર્જનસિંહની પાસેજ આવીને ઉભી રહી. પ્રકરણ ૧૮ મું. અજયર્ગને ખરે માલેક તે દ્ધાની આકૃતિ ભોજનશાળામાં આવીને દુર્જન પાસે ઉભી રહી, ત્યાર પછી તે પાછી છુપા દરવાજા પાસે ગઈ. અજબ જેવું તે એ હતું કે તેના ચાલવાને જરા પણ અવાજ થતો નહતે. તે આકૃતિ ધીમે ધીમે ફરી દુર્જનના આસન પાસે આવી. દુર્જન ત્યાંજ ભયભીત થઈને બેઠો હતો. ફરી વાર તે આકૃતિને પિતાની પાસે આવેલી જોતાં જ દુર્જન બહુજ ભય પામી એક બૂમ પાડી ઉઠ અને ત્યાંથી કૂદીને બીજા માણસે જ્યાં ઉભા હતા ત્યાં જઈ ઉભે. કુમાર ચંદ્રસિંહે પણ તેનું અનુકરણ કર્યું. ઘણે વખત સુધી તે આકૃતિ દુર્જનના ખાલી પડેલા આસન પાસેજ ઉભી હતી. પછી તેણે તમામ લોકો ઉપર પિતાની નજર ફેરવી અને તેને દુર્જન ઉપર સ્થિર કરી. તે આકૃતિએ પિતાને બીજો હાથ દુર્જન તરફ લંબાવ્યો તે વખતે સર્વે લોકોના ભયમાં ઓર વધારો થયો છતાં સર્વ દુર્જન તરફ જવા લાગ્યા. આજે એજ કાંઈક ચમત્કારિક બનાવ બનશે ખરે, એ વાત તે ઘણાખરા મનુષ્યના જાણવામાં હતી અને શો ચમત્કારિક બનાવ બને છે, તે જાણવાની પિતાની જીજ્ઞાસાને પ્ત કરવા કેટલાક મેમાને તે પ્રસંગે ખાસ કરીને ત્યાં આવ્યા હતા. હવે તેઓને પિતાની મૂર્ખતા ભરેલી છાસાને માટે પશ્ચાત્તાપ થવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy