SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ દિવસ પહેલાં પર્વતમાં એક વૃદ્ધ સ્ત્રીને જેવા સબબ તેમના હૃદયમાં ભયને સંચાર થયો છે અને તેથી જ તેમની તબિયત સારી નથી. પણ કુમાર ! તે સ્ત્રીની બાબત તો તમે પણ જાણતા જ હશે. કારણ કે તમે પણ તે વખતે તેમની સાથે હતા.” હા. વિજલ, તારું કહેવું ખરું છે, પણ વેજલ, તે ભારે સદેશો સરદાર સાહેબને કહ્યું હતું.” તમારે સંદેશ મેં તેમને કહ્યા હતા પરંતુ તે સાંભળી સરદાર સાહેબ કાંઈ પણ બેલ્યા નહિ.” વારૂ, વીજલ, હવે તું જા. મારે કાંઈ પણ જોઇતું નથી.” વિજલ ત્યાંથી ચાલ્યો જતાંજ લલિતે ઓરડાનો દરવાજો વાસી દીધો. પ્રભાવતીની તબિયત સારી નથી, તે જાણતાં જ તેના વિચારને. પ્રવાહ તે તરફ વળ્યો. ખરેખર પ્રભાવતી શું તે ભયાનક વૃદ્ધાને જેરી ડરી ગઈ હશે? કે તેના પિતાએ તેને તેના ઓરડામાં જ રહેવાનું કહ્યું હશે? કે તેણે પોતેજ એરડામાંથી બહાર ન આવવા માટે પ્રકૃતિ સારી નથી, એવું બને કાઢયું હશે, એ બાબતને જવાબ તે પિતાની વિચાર શક્તિ પાસેથી મેળવી શક્યો નહિ. તે ઓરડામાંજ આમ તેમ કરવા લાગ્યા. ઘણે વખત વીતી ગયા પછી ભેજનના થાળ તરફ તેની નજર ગઈ પરંતુ જમવાની તેને ઇચ્છા થઈ નહિ; છતાં બે કોળીઆ ખાઈ લેવાને તેણે નિશ્ચય કર્યો. ભેજન ઉત્તમ હતું છતાં તેને તે ઠીક લાગ્યું નહિ. જેમ તેમ થોડું ઘણું ખાઈ તેણે હાથ જોઈ લીધા અને પાછો તે કેચ ઉપર આવીને બેસી ગયે. આજથી પિતાનું તેજ ઓછું થઈ ગયું છે અને પોતે સરદારની નજરે તિરસ્કારને પાત્ર થયું છે, આ વિચાર તેના મનમાં આવતાં જ આ કિલ્લાને ત્યાગ કરવાનું વિચાર તેના મનમાં આવ્યા વિના રહી નહિ. આ વિચાર ઉત્પન્ન થતાં જ બીજે વિચાર પણ તેના મનમાં આવ્ય–આથી તેને કાંઈક ઠીક લાગ્યું. પ્રભાવતીને ચાહવામાં પિતાના તરફથી કાંઈ પણ ગુને થયો હોય, એમ હવે તેને લાગ્યું નહિ અને જે કદાચ તે ગુને હોય તે પણ આવા વખતે પ્રભાવતીને એલીનેજ સંકટમાં સપડાવી દેવા જેવું છે, એમ તેને લાગ્યું. આ વિચાર મનમાં આવતાં જ કિલે છડી જવાને વિચાર તેણે ત્યાગી દીધે. આજે જો કે સરકારની પિતાના ઉપર ઈતરાજી થઈ છે, છતાં તેમની ભૂલ તેમને જણાઈ આવ્યા વિના નહીં રહે. આવા આવા અનેક વિચારે તે કરતે હતું. આ વખતે અર્ધ રાત થઈ ગઈ હતી છતાં હજુ સુધી લલિતસિંહ પિતાના વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy