SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫ “ આપણું આ દુર્ગની આસપાસ બીજા કેટલા કિલ્લા છે? તેની અને તે કિલાને માલેકની થોડીક હકીકત જાણવાની મને છાસા થઈ છે.” ઠીક છે. અહીંથી પાંચ ગાઉ ઉપર રત્નગઢ નામક એક કિલો છે અને હમણું તે કિલે સરદાર સુજાણસિંહના કબજામાં છે.” હા, તેમના તરફથી મને કાલેજ એક પત્ર મળે છે. એક બે દિવસમાં તેઓ મને અહીં આવીને મળી જવાના છે, એમ તેઓ " જણાવે છે.” “તે કિલાથી થોડા અંતર ઉપર એક કર્ણદુર્ગ નામને નાને પણ મજબૂત કિલ્લે છે અને તેના અધિપતિ આજકાલ રાજધાનીમાં જ રહે છે.” હા. તેમની સાથે મારે સારે સ્નેહ છે. હમણાં હમણાં તેની ઉપર નવીન મંત્રિમંડળની જરા અવકૃપા થઈ છે. વારૂ, પછી?” “આ કિલાની ઉત્તરે એક અછતગઢ નામનો કિલે લગભગ આઠ ગાઉ દૂર આવેલ છે. આપણું આ દુર્ગની પછી તેને નંબર આવે છે. તેના અધિપતિ સરદાર રાજસિંહ અત્યારે ક્યાં છે, તેની મને ખબર નથી. ઘણું કરીને તેઓ પિતાના કિલામાં જ રહે છે પણ હમણું... ” “હમણું તેઓ રાજધાનીમાં રાજખટપટની અટપટી ગડબડમાં ગુંથાયા છે. વારૂ, આ દક્ષિણ દિશા તરફ રોલ શિખરે દેખાય છે તે શું છે?” પેલું કે?” બારીમાંથી દેખાતા શૈલીશિખરો દેખાડી તે બેલ્યોતેને સિંહગુફા કહેવામાં આવે છે અને તેમાં વજેસંઘ અને અજબસંધ એ બે ભાઈઓ રહે છે.” “એમ કે ! તે સિંહગુફામાં રહેનારા તે બન્ને ભાઈઓને માટે રાજધાનીમાં કાંઈ પણ સારે મત નથી.” તેમ છે ખરું, પરંતુ તેમની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી તેમજ મેં તેમને જેએલા પણ ન હોવાથી તેમની બાબતમાં ખાત્રી પૂર્વક હું કાંઈ પણ કહી શકું તેમ નથી. છતાં તેમની બાબતમાં મારા સાંભળવામાં જે કાંઈ આવ્યું છે તે ઉપરથી હું કહી શકું છું કે, તે અને ભાઈઓ ઉદ્ધત, સાહસિક, શૂરવીર અને નિષ્ફર છે. તે બને ભાઈઓની બાબતમાં તેમના નેકરે કાંઈ બુરું બેલતા હોય, તે મારા સાંભળવામાં આવેલ નથી. કોઈ કોઈ વખત તે બને ભાઈઓ સે બસ સૈનિકનું સૈન્ય સાથે લઈ શિકાર કરવા નિકળે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy