SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ "s સરદાર સાહેબ ! શું છેકાણે ખૂન કર્યું? આ તમે શું ખેલ છે ? ખૂન શું અને વાત શી ? “ દુર્જનની વાત સાંભળી મધુરી–જે દરવાજાની બહારના ભાગમાં ઉભી હતી તે ભયભીત થઈને ઓલી ઉઠી. “ એ દાસી ! હું શું કહું? મને કાંઇપણુ સૂઝ પડતી નથી. તેણે તમામ કબુલ કર્યું છે. કુમાર ચંદ્રનું ખૂન અને ભારા બે સ્વારાનું ખૂન પણુ તેણે કર્યું છે. ” દુર્જને ગુચવાઇ ગયા જેવી પોતાની સુખમુદ્રા રાખીને તદ્દન બનાવટી વાત ઉભી કરી. r નહીં-સરદાર ! એ બધું તરકટ છે! - મધુરી સર્વ વાતા જાણુતી હેાવા સબબ દુર્જનનું કહેવું તદ્દન અસત્ય છે, એમ તે ખાત્રીથી માનતી હતી. તે ગુસ્સામાં આવીને ખેલીઃસરદાર ! બિચારા લલિતનું સત્યાનાશ કરી નાંખવા માટે તમે પોતેજ આ બધું તરકટ રચ્યું છે—કાવતરૂં ગાઠવ્યું છે. તમારા તમામ દાવ-પેચ હું સારી રીતે જાણું છું. tr 39 tr ચુપ ! દાસી ! તું કાની સામે ખેલે છે તેનું તને ભાન છે ? ન, અહીંથી એકદમ ચાલી જા. મારી નજર સામેથી ખસી જા અને ધ્યાનમાં રાખજે કેતુ અત્યારે જે મેલી છે તેના ફરી ઉચ્ચાર પણ કરીશ તા તારી વાત તું જાણે ! તેનુ પરિણામ અહુજ ભયંકર આવશે. જો તું મારા હુકમ મુજબ નહીં વર્તે તેા તારે આ કિલ્લામાંથી ચાલ્યા જવાના વખત આવશે. ” દુર્જને ચીડાઈને કહ્યું. પ્રકરણ ૪૨મુ. લલિત ક્યાં? જ્યાં હતા ત્યાંને ત્યાં ! પ્રભાવતીની દાસી મધુરી દુર્જનની વાત સાંભળી સુપ રહી ગઈ. વધારે ખેલવામાં ડહાપણુ નથી, એમ માનીને તે દુજૈન તરફ તિરસ્કાર ભરેલી નજરે જોતી જોતી ત્યાંથી ખીજી તરફ્ ચાલી ગઇ. જે પોતે કાંઇ ઓછું વત્તું એલી જશે તા દુષ્ટ સ્વભાવવાળા નીચ દુનસિ'હુ સરદાર સજ્જનને આડું અવળું સમાવી પોતાને કઢાવી મૂકરો, એ વિચાર તેના મનમાં આવવાથીજ તે કાંઇ પણ મેલી નહીં. તે દુર્જ નની દુષ્ટતાથી વાકેગાર હતી. તે જે રસ્તે જતી હતી તેજ રસ્તે સામેથી આવતા દુર્ગંરક્ષક રહુમલ તેને અચાનક મળ પો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy