SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તારે એક પણ વાળ વાકો થવા દઈશ નહીં, માટે પ્રભા ! તું નિર્ભય થઈ જા!” એમ કહી તેણે પુનઃ પિતાની વિદ્યુલ્લતાની જેમ ચમકતી સમશેર હવામાં ફેરવી. અહાહા ! તે વખતને દેખાવજ અવર્ણનીય હતે. ભયભીત થએલી કુમારિકા તે શરીર-લલિતને વિજય મળે તે માટે અનન્ય ભાવે પરમકૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરતી પવિત્ર દેવાંગનાની જેમ તેની પાછળ ઉભી હતી. તેને કેશકલાપ છુટા થઇ નિતંબ ભાગ સુધી પ્રસરી ગયો હતો. કોમળ કેશ વિખરાઈ જઈ તેના ગુલાબી ગાલા ઉપર આવેલા હોવાથી તે સમયે તેના મુખને-જે કે તે ભયથી નિસ્તેજ થયું હતું છતાં તે ઉપર કઈક અનેરૂંદર્ય પ્રાપ્ત થયું હતું. તેણે ઉજવલ-ધવલ વસ્ત્ર પરિધાન કરેલાં હેવાથી સાક્ષાત યુદ્ધદેવીજ પિતાના પ્રિય દ્ધાને ઉત્તેજન આપવા ત્યાં હાજર થઈ હોયની, એવો ભાસ થતું હતું. દુશ્મનના રક્તથી સર્વ શરીરે રંગાયેલ લલિતસિંહ દુશ્મનના હૃદયના રક્તામૃતનું પાન કરવા માટે ઉત્સુક થએલી બુભુક્ષિત ભૂખી) થએલી પિતાનીયમરાજની જિવા જેવી સમશેર જમણા હાથમાં મજબૂત પકડીને ત્યાં ઉભો હતે.. પિતાના માલેકેની થએલી દુર્દશા જોઈ તે સશસ્ત્ર સૈનિકો લલિતસિંહ ઉપર હુમલે કરવા તેની પાસે આવવા લાગ્યા. પિતાની જવાબદારી અને જોખમદારીને સારી રીતે જાણી લઈ તે જુવાન થે દુશ્મની સાથે યુદ્ધ કરવા લાગે. ડીવારમાં તેણે પિતાના દુશ્મનિમાંથી એને ઓછા કરી નાંખ્યા. એટલામાં પ્રભાવતીએ એક હૃદય ભેદક કારમી ચીસ પાડી. લલિતની ઉપર એકદમ ચારે તરફથી થનાર ભયંકર તરવારના વાર જોતાં જ તે નાહિંમત બની ગઈ. લલિતે દુશ્મનના વાર ચુકવવા માટે પિતાની તરવાર આડી ધરી. આ વખતે લલિતનું કમનસીબ જાગી ઉઠયું. તેની તરવાર એકદમ તુટી ગઈ અને થોડીજ પળમાં તે બેભાન બની પ્રભાવતીના પગની પાસે જ પછડાઈ પડશે. એટલે ફરી પ્રભાવતીએ એક કારમી ચીસ પાડી. આવી રીતે લલિતસિંહને ધર્મ કરતાં ધાડ નડી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy