SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચિન કાવ્યનાં લક્ષણે. कथ्यते काव्यमिष्टार्थव्यवच्छिन्ना पदावली. ઈષ્ટ એટલે અલૈકિક ચમત્કારી હોવાથી સહૃદય પુરૂષનાં અને મનને આનંદ કરનાર એવા જે અર્થો તે વડે વ્યવચ્છિન્ન એટલે વિલક્ષણ કરેલ એવી જે પદાવલી એટલે પદસમૂહ તે કાવ્ય કહેવાય છે. રિપુરે પૃત, પુતે નાતા, “તારે શત્રુ મરણ પામ્ય અને “તારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે.” ઇત્યાદિ વાક્યનાં શ્રવણથી ઉત્પન્ન થએલો આનંદ લેત્તર નથી. માટે એવાં વાકામાં કાવ્ય લક્ષણને અતિ પ્રસંગ નથી. તથાપિ લક્ષણ એવું ફલિત થયું કે લોકાર ચમત્કારી હોવાથી સાહદાનાં હૃદયને આકર્ષણ કરનારૂં જે વાક્ય તે કાવ્ય. તેનું જ નામ કાવ્ય કહેવાય છે કે જે નિત્યે વિલક્ષણ ચમત્કારી હોવાથી બળાત્કારે વશમાં લાવી સામાજીક જનેનાં મન રંજન કરે એનું ઉદાહરણ આ પ્રમાણે છે. मानुषीभ्यः कथंनुस्यादस्य रूपस्य संभवः । न प्रभातरलं ज्योतिरुदति वसुधातलात् ।। માનુષી સ્ત્રીઓથી આવાં રૂપની ઉત્પત્તિ સંભવેજ કેમ? પૃથ્વીના તલથી લાવયે પરિપૂર્ણ એવું તેજ ઉત્પન્ન થાય જ નહીં. उद्गीर्णदर्भकवला मृगी परित्यक्तनर्तना मयुरी । अपसृतपाण्डुपत्रा मुश्चति अश्रु इव लताः ॥ શકુન્તલાના પતિના ઘર પ્રત્યે પ્રયાણને સમયે વિરહથી હરિ ણીએ દર્ભના કવલને ત્યાગ કર્યો છે અર્થાત્ આહાર તજેલ છે, મયૂરીએ નૃત્યને ત્યાગ કર્યો છે અને લતાએ ખરી પડતા પત્રરૂપી અશ્રુઓના બિન્દુઓને જ જાણે પાડતી હેય નહિ શું? आयि कठारे यशः किल ते प्रियं किमयशो ननु घोरमतःपरम् । किमभवद्विपिने हरिणीदशः कथय नाथ कथं बत मन्यसे ॥ હે નિષ્ફર શમ! તમને પ્રારંજનજન્ય યશજ પ્રિય છે તે સીતાને ઘેર વનમાં મોકલવા રૂપ જે અપયશ તે શું એના સમાન નથી? હે નાથ ! હરિણાક્ષી એવાં સીતાજીની વનમાં શું સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy